ભાવનગર

પ્રયાગરાજ રામકથા શ્રી મોરારિબાપુ શ્રી યોગી આદિત્યનાથ

ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથે પ્રયાગરાજમાં ચાલતી રામકથામાં ઉપસ્થિતિ રહી શ્રી મોરારિબાપુ પ્રત્યે અહોભાવ સાથે રામકથા અને મહાકુંભ અખંડ ભારતનો સંદેશ ગણાવતાં પોતાનો રાજીપો વ્યક્ત કર્યો. ભારતવર્ષનાં વૈશ્વિક અને વિરાટ સનાતન પર્વ મહાકુંભમેળામાં પરમાર્થ નિકેતન આશ્રમમાં શ્રી મોરારિબાપુનાં વ્યાસાસને ચાલતી ‘માનસ મહાકુંભ’ રામકથામાં ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી અને ગોરક્ષનાથનાં ઉપાસક શ્રી યોગી આદિત્યનાથ ઉપસ્થિત રહ્યાં હતાં. તેઓએ શ્રી મોરારિબાપુ પ્રત્યે અહોભાવ સાથે રામકથા અને આ મહાકુંભમેળો એ અખંડ ભારતનો સંદેશ ગણાવતાં પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો.

વ્યાસપીઠ પરથી શ્રી મોરારિબાપુએ કથા પ્રવાહ સાથે ભારત એ સનાતન અને સનાતન એ ભારત વિશે ભાવ જણાવી વૈશ્વિક સમસ્યા અને તણાવની સ્થિતિ આ કુંભમેળાનાં દિવસો દરમિયાન હળવા પડી રહ્યાનો સંકેત શુભ ગણાવ્યો. પરમાર્થ નિકેતન આશ્રમમાં શ્રી ચિદાનંદ સરસ્વતીજીએ પ્રાસંગિક ઉદબોધનમાં રામકથા, શ્રી મોરારિબાપુ અને શ્રી યોગી આદિત્યનાથનાં સંયોગને બિરદાવી સનાતન ધર્મનો જયકાર રહ્યાંની વાત ભારપૂર્વક જણાવી.

Related Posts