ધારીથી નાથદ્વારા બસ શરૂ થયા બાદ હવે સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના કાર્યાલય અને રાજેનભાઈ વામનભાઈ પારેખ દ્વારા સા.કુંડલાના ડેપો મેનેજરને રજૂઆત કરી છે કે સાવરકુંડલાથી નાથદ્વારા જવા માટે કોઈ બસ સુવિધા નથી અને સાવરકુંડલામાં વૈષ્ણવ સમાજ ખૂબ જ મોટા પ્રમાણમાં વસે છે. હાલમાં ધારીથી નાથદ્વારા જવા માટે એસ.ટી. બસની સુવિધા શરૂ કરવામાં આવેલ છે જે બસને વાયા સાવરકુંડલા રૂટ શરૂ કરવામાં આવે તો વૈષ્ણવ સમાજમાં ખૂબ જ હર્ષની લાગણી થશે અથવા સાવરકુંડલાથી નાથદ્વારા બસ શરૂ કરવા સાવરકુંડલાના ડેપો મેનેજરને રજૂઆત કરવામાં આવી હતી. ધારાસભ્યના કાર્યાલયથી પત્ર પાઠવ્યા બાદ બસ શરૂ થશે કે કેમ તે જાવાનું રહ્યું.
સાવરકુંડલાથી નાથદ્વારાની બસ શરૂ કરવા એસ.ટી. તંત્રને રજૂઆત



















Recent Comments