રાષ્ટ્રીય

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર USAIDના ૧૫૦૦થી વધુ કર્મચારીઓને કાઢી મૂકવા, હજારો અન્ય કર્મચારીઓને રજા પર મોકલવામાં આવ્યા

ફરી વાર યુએસના રાષ્ટ્રપતિ બન્યા ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણા બધા નવા પગલાં લેવામાં આવ્યા હતા, જ્યાં છેલ્લા ૨૪ કલાકમાં ટ્રમ્પના વહીવટીતંત્રે યુએસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (ેંજીછૈંડ્ઢ) ના ૨૦૦૦ કર્મચારીઓને કાઢી મૂકવા અને હજારો અન્ય કર્મચારીઓને રજા પર મોકલવાનું જાહેરનામું બહાર પાડ્‌યું છે. શુક્રવારે એક ફેડરલ ન્યાયાધીશે વહીવટીતંત્રને ેંજીછૈંડ્ઢ કર્મચારીઓને છૂટા કરવાની મંજૂરી આપ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે, એમ એક અહેવાલમાં જણાવાયું છે. યુએસ ડિસ્ટ્રિક્ટ જજ કાર્લ નિકોલ્સે સરકારની યોજનાને કામચલાઉ રોકવા માટેની કર્મચારીઓની વિનંતીને ફગાવી દીધી. ેંજીછૈંડ્ઢ કર્મચારીઓને મોકલવામાં આવેલા નોટિફિકેશનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ૨૩ ફેબ્રુઆરી રાત્રે ૧૧ઃ૫૯ વાગ્યાથી, સીધા કાર્યરત ેંજીછૈંડ્ઢ કર્મચારીઓને વહીવટી રજા પર મૂકવામાં આવ્યા, સિવાય કે મિશન-આધારિત આવશ્યક કાર્યો, મુખ્ય નેતૃત્વ અને ખાસ નિયુક્ત કાર્યક્રમોમાં સામેલ કર્મચારીઓ.

ેંજીછૈંડ્ઢ ના કર્મચારીઓ, ખાસ કરીને જેઓ વિદેશમાં તૈનાત છે, તેમણે સરકાર સમક્ષ તેમની સુરક્ષા અને સંદેશાવ્યવહાર સુવિધાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ અંગે ન્યાયાધીશ કાર્લ નિકોલ્સે કહ્યું કે વહીવટીતંત્રે તેમને ખાતરી આપી છે કે વિદેશમાં તૈનાત કર્મચારીઓને કટોકટી સંચાર સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. આ અંતર્ગત, ટુ-વે રેડિયો અને પેનિક બટન સુવિધા સાથેની મોબાઇલ એપ્લિકેશન ઉપલબ્ધ થશે.

ેંજીછૈંડ્ઢ ને બંધ કરવાની યોજના સામેના એક અલગ કેસમાં, એક ન્યાયાધીશે વહીવટીતંત્રને વિદેશી સહાયને અવરોધિત કરવાથી અસ્થાયી રૂપે અવરોધિત કર્યો. કોર્ટના આદેશ છતાં વિદેશી સહાય રોકવા બદલ કોર્ટે ટ્રમ્પ વહીવટીતંત્રને ઠપકો આપ્યો અને વૈશ્વિક સહાય કાર્યક્રમોને અસ્થાયી રૂપે ફરી શરૂ કરવાનો નિર્દેશ આપ્યો.

Follow Me:

Related Posts