રાષ્ટ્રીય

પ્રધાનમંત્રીએ નાગરિકોને ‘મન કી બાત’માં સ્થૂળતા સામે લડવા અપીલ કરી

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ રાષ્ટ્રીય રાજધાનીમાં સાઇકલ અભિયાન પર ફિટ ઇન્ડિયા સન્ડેઝનું નેતૃત્વ કર્યું હતું. તેમની સાથે સાઇકલિંગ ક્લબના સભ્યો, ઓલિમ્પિક રોવર અર્જુન લાલ જાટ અને ઉદ્યોગ સંસ્થાઓ ફિક્કી અને સીઆઇઆઇના ખાસ મહેમાનો તેમજ ફિટનેસ બ્રાન્ડ ડેકાથ્લોન, યોગ ભારત અને માય ભારતના પ્રતિનિધિઓ પણ જોડાયા હતા.

હવે તેના નવમા અઠવાડિયામાં, ફિટ ઇન્ડિયા સન્ડેસ ઓન સાઇકલ રાષ્ટ્રવ્યાપી ફિટનેસ ચળવળમાં પરિણમી છે, જેમાં સાયકલ સવારોએ દેશભરમાં ૧,૨૦૦ થી વધુ સ્થળોએ ભાગ લીધો છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેલનો વપરાશ ઘટાડીને, કસરત કરીને અને આરોગ્યપ્રદ આહાર લઈને મેદસ્વીપણાનો સામનો કરવાનાં આહવાનથી પ્રેરિત થઈને ડૉ. માંડવિયાએ આ પહેલને સ્થૂળતા સામે દેશની લડાઈને સમપિર્ત કરી હતી. આ કાર્યક્રમમાં બોલતા કેન્દ્રીય મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “માનનીય પ્રધાનમંત્રીએ શરૂ કરેલી મેદસ્વીપણા સામેની આપણી સામૂહિક લડાઈમાં, દૈનિક ફિટનેસ પ્રવૃત્તિઓને આપણા જીવનનો એક ભાગ બનાવવો જોઈએ. સાયકલ ચલાવવું એ કસરતનું સૌથી સરળ સ્વરૂપ છે જે વ્યક્તિગત સ્વાસ્થ્ય અને પર્યાવરણ બંને પર ઊંડી અસર કરે છે. તે કાર્બન ફૂટપ્રિન્ટ્‌સ ઘટાડે છે

અને પ્રદૂષણનો ઉકેલ પૂરો પાડે છે.” ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ દર અઠવાડિયે લોકોના એક ખાસ જૂથને આમંત્રણ આપે છે, જેમાં અગાઉની આવૃત્તિઓમાં અતિથિ સહભાગીઓ તરીકે સેનાના જવાનો, પોસ્ટમેન અને વેલનેસ નિષ્ણાતોને દર્શાવવામાં આવ્યા હતા. આ અઠવાડિયે કોર્પોરેટ ઇન્ડિયાએ આ ઝુંબેશમાં ભાગ લેવા આગળ વધીને પોતાનો ટેકો દર્શાવ્યો હતો. આ પહેલના મહત્વ વિશે વાત કરતા સીઆઈઆઈના સ્પોર્ટસકોમના ખજાનચી વિદુષપત સિંઘાનિયાએ જણાવ્યું હતું કે, “હું આ પહેલ શરૂ કરવા બદલ માનનીય રમત ગમત મંત્રીને અભિનંદન આપું છું. સ્વસ્થ ભારત એ વધારે સફળ ભારત છે,

કારણ કે સારું સ્વાસ્થ્ય પ્રત્યક્ષ રીતે ઊંચી ઉત્પાદકતા અને મજબૂત જીડીપીમાં પ્રદાન કરે છે. એક ઔદ્યોગિક સંસ્થા તરીકે અમે સાઇકલ પર ફિટ ઇન્ડિયા સન્ડેઝમાં જોડાવા માટે વધુ કોર્પોરેટ્‌સને પ્રોત્સાહિત કરવા અને આ મહત્ત્વપૂર્ણ ચળવળને ટેકો આપવા કટિબદ્ધ છીએ.” ઓલિમ્પિયન અર્જુન લાલ જાટે ઉમેર્યું હતું કે, “સહભાગીઓનો ઉત્સાહ ખૂબ જ સારો છે અને એક રમતવીર તરીકે મને એ જોઈને આનંદ થાય છે કે ઘણા લોકો રવિવારની સવારે બહાર નીકળ્યા છે અને ફિટનેસ માટે સમય સમપિર્ત કર્યો છે. ફિટ રહેવું એ કોઈ વિકલ્પ નથી, તે દરેક માટે ફરજિયાત છે અને ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ પહેલ લોકો માટે તેમની ફિટનેસ જર્ની શરૂ કરવા માટે એક અદ્ભુત પ્રેરણા છે.”

ગુવાહાટીમાં, ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ડોકટરો એસએઆઈ નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ સેલિબ્રેશનમાં જોડાયા હતા. ફિટનેસનો સંદેશો ફેલાવવા માટે ૩૦૦થી વધુ સભ્યો સવારી કરી હતી.છેલ્લા કેટલાક સપ્તાહોમાં ભારતમાં ૪,૨૦૦ સ્થળોએ ફિટ ઈન્ડિયા સન્ડે ઓન સાયકલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ૧,૨૦૦ સ્થળોએ આજે જ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. સાઇકલ પર રવિવારનું આયોજન કરતા સ્થળોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, કારણ કે તમામ ભૌગોલિક, વય જૂથો અને સામાજિક પૃષ્ઠભૂમિના નાગરિકો આ પહેલમાં ઉત્સાહભેર ભાગ લે છે.

Related Posts