અમરેલી

ખાંભા તાલુકા પંચાયત કચેરી દ્વારા અસ્કયામતના ઇમલાની જાહેર હરાજી. તા.૧૪ મેના રોજ યોજાશે : રસ ધરાવતા લોકો ભાગ લઈ શકે છે

ખાંભા તાલુકા પંચાયત કચેરી દ્વારા તા.૧૪ મે, ૨૦૨૫ બુધવારના રોજ સવારે ૧૧ વાગ્યે અસ્કયામતના ઇમલાની જાહેર હરાજી ખાંભા તાલુકા પંચાયત કચેરી ખાતે થશે.

અસ્કયામત અને ઇમલાની વિગત મુજબ, (૦૧) નવા તાલુકા પંચાયતના ગ્રાઉન્ડમાં આવેલી જૂની કચેરીના વિભાગ-૧, તા.૧૪.૦૫.૨૦૨૫ ના રોજ સવારે ૧૧ વાગ્યે ખાંભા તાલુકા પંચાયત કચેરીના મીટીંગ હોલ ખાતે હરાજી થશે. જેની નક્કી થયેલ અપસેટ પ્રાઇઝ રૂ. ૩૯,૬૦૮ છે.

(૦૨) નવા તાલુકા પંચાયતના ગ્રાઉન્ડમાં આવેલ જુની કચેરીના વિભાગ-૨, તા.૧૪.૦૫.૨૦૨૫ના રોજ સવારે ૧૧ વાગ્યે મીટીંગ હોલ, ખાંભા તાલુકા પંચાયત કચેરી ખાતે હરાજી થશે, જેની અપસેટ કિંમત રુ.૪૭,૩૬૮ નક્કી થઇ છે.

જાહેર હરરાજીમાં જે તે પાર્ટીએ પોતે જ સ્થળ અને સમય મુજબ રૂબરુ જ ઉપસ્થિત રહેવું. ઉક્ત હરાજીમાં ભાગ લેનાર તમામ પાર્ટીએ ૧૦ ટકા લેખે પ્રતિ વિભાગ દીઠ પ્રથમ અનામત જમા કરાવ્યા બાદ જાહેર હરાજીમાં ભાગ લઈ શકશે.

જેની ખાસ નોંધ લેવી જાહેર હરાજીની શરતો, બોલીઓ, નિયમો સ્થળ ઉપર વાંચી સંભળાવવામાં આવશે તેમ ખાંભા તાલુકા પ્રમુખ શ્રી અને તાલુકા વિકાસ અધિકારી શ્રી, ખાંભા તાલુકા પંચાયત કચેરીએ એક યાદીમાં જણાવ્યુ છે.

Related Posts