લોકસભામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચીન (એલએસી) અને અમેરિકાના ટેરિફ મુદ્દે ગંભીર પ્રશ્નો ઉઠાવતા કહ્યું હતું કે, બધા જાણે છે કે ચીન આપણા ૪ હજાર ચોરસ કિલોમીટરના પ્રદેશ પર બેઠું છે. તેમણે એમ પણ કહ્યું કે, પીએમ ચીનને પત્ર લખી રહ્યા છે અને અમને તેની જાણ પણ નથી. બીજી તરફ, રાહુલ ગાંધીએ અમેરિકા દ્વારા ભારત પર લાદવામાં આવેલા ટેરિફ અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા છે.
વધુમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, મને આશ્ચર્ય થયું કે આપણા વિદેશ સચિવ ચીની રાજદૂત સાથે કેક કાપી રહ્યા હતા. આપના દેશના ૨૦ સૈનિકો શહીદ થયા હતા અને તેમની શહાદતની ઉજવણી કરવામાં આવી રહી છે. કેક કાપીને,આપણે પરિસ્થિતિ સામાન્ય થવાની વિરુદ્ધ નથી. પરંતુ પરિસ્થિતિ સામાન્ય થાય તે પહેલાં, યથાસ્થિતિ પુન:સ્થાપિત થવી જાેઈએ અને આપણને આપણી જમીન પાછી મળવી જાેઈએ. તેમણે વધુમાં કહ્યું કે, મારા ખ્યાલમાં એ પણ આવ્યું છે કે વડા પ્રધાન અને રાષ્ટ્રપતિએ ચીનીઓને પત્ર લખ્યો છે, અમને આ વાત આપણા લોકો પાસેથી નહીં પણ ચીનના રાજદૂત પાસેથી જાણવા મળી રહી છે.
લોકસભામાં રાહુલ ગાંધી ચીન અને અમેરિકાના ટેરિફ મુદ્દે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા

Recent Comments