એટીએમમાંથી પૈસા ઉપાડતી વખતે મોટાભાગે રૂ. ૫૦૦ની જ નોટ નીકળે છે. ૧૦૦-૨૦૦ની નોટ ભાગ્યે જ જાેવા મળતી હોય છે. પરંતુ હવે આમ નહીં થાય. આરબીઆઈએ મહત્ત્વનો ર્નિણય લેતાં તમામ બેન્કોને નિર્દેશ આપવામાં આવ્યા છે કે, એટીએમમાંથી રૂ. ૧૦૦ અને રૂ. ૨૦૦ની નોટ પણ નીકળે.
આરબીઆઈ દ્વારા બેન્કોને નિર્દેશ આપવામાં આવ્યા હતાં કે, સામાન્ય લોકો માટે નાની રકમની નોટની ઉપલબ્ધતા વધારવા માટે આ પગલું લેવું જરૂરી છે. બેન્કોએ એટીએમમાંથી આ મૂલ્યના કરન્સી નોટ પર્યાપ્ત પ્રમાણમાં મળી રહે તેની ખાતરી કરવી. બેન્કો અને વ્હાઈટ લેબલ એટીએમ ઓપરેટર્સે આ નિર્દેશને તબક્કાવાર લાગુ કરવા કહ્યું છે.
આરબીઆઈએ સર્ક્યુલરમાં જણાવ્યુ છે કે, મોટાભાગે એટીએમમાંથી રોકડ ઉપાડતી વખતે રૂ. ૫૦૦ના મૂલ્યની નોટ જ નીકળે છે. આથી નાના અને સામાન્ય નાગરિકોના હિતોને ધ્યાનમાં રાખતાં તમામ બેન્કો અને વ્હાઈટ લેબલ એટીએમ ઓપરેટર્સને ખાતરી કરવા આદેશ છે કે, તેમના એટીએમમાંથી નિયમિત ધોરણે રૂ. ૧૦૦ અને રૂ. ૨૦૦ની નોટ નીકળે. ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ સુધી તમામ એટીએમમાંથી ૭૫ ટકા એટીએમાંથી ઓછામાં ઓછા એક કેસેટમાં રૂ. ૧૦૦ અને રૂ. ૨૦૦ની નોટ નીકળવી જાેઈએ. ત્યારબાદ આગામી તબક્કામાં ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધી ૯૦ ટકા એટીએમમાંથી ઓછામાં ઓછા એક કેસેટમાંથી રૂ. ૧૦૦ અને રૂ. ૨૦૦ના મૂલ્યની નોટ નીકળવી જાેઈએ.
Recent Comments