ભારતના પશ્ચિમ રેલવેના ગુજરાતના વાસદ-રણોલી સ્ટેશનોની વચ્ચે રિ-ગર્ડરિંગના કામ માટે ૮ જૂન ૨૦૨૫ સુધી લેવામાં આવેલો બ્લોક ટેક્નિકલ કારણોસર રદ કરવામાં આવ્યો છે. આમ બ્લોક લેવાને લઈને આ રૂટ પરની ૮ ટ્રેનો પ્રભાવિત થવાની હતી. જ્યારે હવે વાસદ–રણોલી સ્ટેશનો વચ્ચેનો બ્લોક રદ થતાં પ્રભાવિત ટ્રેનો પૂર્વ નિર્ધારિત સમય પ્રમાણે દોડશે.
ભારતીય રેલવે વિભાગની માહિતી અનુસાર, પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ ખાતે વાસદ-રણોલી સ્ટેશનોની વચ્ચે બ્રિજ નંબર ૬૨૪ પર રિ-ગર્ડરિંગના કામ માટે ૮ મેથી ૮ જૂન ૨૦૨૫ સુધી (બુધવાર અને રવિવાર) બ્લોક લેવામાં આવ્યો હતો. જેમાં ટેકનિકલ કારણોસર ૮ જૂન રવિવારના રોજ બ્લોક રદ કરવામાં આવ્યો છે. જેથી ૮ જૂનના રોજ પ્રભાવિત ટ્રેનો હવે પૂર્વ નિર્ધારિત સમયસારણી પ્રમાણે દોડશે.
બ્લોક રદ થવાથી આ પ્રભાવિત ટ્રેનો હવે તેના સમયે દોડશે:-
- મણિનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ, ટ્રેન નં. ૧૯૦૩૬
- વડોદરા-મણિનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ, ટ્રેન નં. ૧૯૦૩૫
- જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ, ટ્રેન નં. ૨૨૯૬૦
- વડોદરા-વલસાડ ઇન્ટરસિટી એક્સપ્રેસ, ટ્રેન નં. ૧૨૯૩૦
- જાેધપુર-દાદર એક્સપ્રેસ, ટ્રેન નં. ૧૪૮૦૭
- અજમેર-મૈસુર એક્સપ્રેસ, ટ્રેન નં. ૧૬૨૦૯
- ગાંધીનગર કેપિટલ-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ, ટ્રેન નં. ૨૦૯૦૨
- ભગત કી કોઠી-એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ એક્સપ્રેસ, ટ્રેન નં. ૨૦૬૨૬
Recent Comments