અમરેલી

બાળકોનો સ્ક્રિન ટાઇમ ઓછો કરવો અને આઉટડોરરમત તેમજ વ્યાયામ માટે પ્રોત્સાહિત કરવા

અમરેલી તા.૧૩ જૂન૨૦૨૪ (શુક્રવાર) વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનના પગલે રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ‘ સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાતનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

સ્વસ્થ જીવન શૈલી અપનાવી જનજન સુધી આ સંદેશો પ્રસરાવવા માટે કેટલાક સૂચનો કરવામાં આવ્યા છે. મેદસ્વિતા અને વધુ પડતો વજન એ આરોગ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે. જો કેતકેદારીના પગલાં ભરવાથી મેદસ્વિતાનું નિવારણ લાવી શકાય છે. ખાસ કરીને બાળકોમાં મેદસ્વિતા આવે નહિ તે માટે તકેદારીના પગલા ભરવા જરુરી છે. બાળકોમહિલાઓ અને યુવાનો પુરૂષો સૌ કોઈ ખાનપાનજીવનશૈલીમાં પરિવર્તન કરી મેદસ્વિતા મુક્ત થઈ શકાય છે. તાજેતરમાં જ ઉનાળું વેકેશન સમાપ્ત થતા બાળકો ફરીથી શાળાકીય પ્રવૃત્તિ અને શિક્ષણકાર્યમાં જોડાઈ ગયા છે. વેકેશન બાદ બાળકોને રમત તેમજ વ્યાયાય સાથે પ્રવૃત્તિમય રાખી સ્વસ્થ જીવનશૈલી તરફ દોરી જવા માટેનો શ્રેષ્ઠ સમય છે.

ટેકનોલૉજીના એડવાન્સમેન્ટ સાથે બાળકો પણ હાઇટેક ઉપકરણોનો ઉપયોગ કરી રહ્યા છેજેના કારણે બાળકોનો સ્ક્રિન ટાઇમ વધી રહ્યો છે. ડિજિટલ ઉપકરણોના ફાયદા સામે કેટલાક ગેરફાયદા છે અને તેમાનો એક ગેરફાયદો વ્યાયામ અને આઉટડોર રમતોનું પ્રમાણ ઘટી રહ્યું છે જેના કારણે બાળકોનો સ્ક્રિન ટાઇમ વધી રહ્યો છે. માતાપિતાએ બાળકોમાં મેદસ્વિતા આવે નહિ તે માટે તેમનો સ્ક્રિન ટાઇમ ઓછો કરી અને રમતગમત માટે પ્રોત્સાહન કરવા જોઈએ.

મેદસ્વિતા માટે ખાનપાન પણ ખૂબ જવાબદાર છે. ઝડપી જીવનશૈલીમાં પેકેજ્ડ અને પ્રોસેસ ફૂડનું પ્રમાણ વધી રહ્યું છે અને તાજો અને પૌષ્ટિક આહાર વિસરાઇ રહ્યો છે. કુમળી વયે બાળકોમાં પેકેજ્ડ ફૂડ઼નું વળગણ ન થાય તે માટે તેમને રોજિંદા આહારમાં તાજો અને પૌષ્ટિક આહાર આપવો જોઈએ.

તાજા ફળો અને શાકભાજીમાં વિટામીનનો ભરપૂરત સ્રોત હોય છે જે રોજિંદા જીવનમાં આવશ્યક છે. બાળકોમાં ફળોની આદત કેળવી શકાય  તે માટે તેમને મનગમતા ફળો ખવડાવવા જોઈએ જેનાથી તેમની ન્યુટ્રિશનની માંગ પણ પૂરી થઈ શકે અને તેમનો સર્વાંગી વિકાસ થાય.

જીવનશૈલી પરિવર્તનમાં ખાનપાન મહત્ત્વનું અંગ છેમેંદાવાળી ચીજવસ્તુઓમીઠાઈઓનાસ્તાના પેકેટ તેમજ કોલ્ડ્રીંક્સ સરળતાથી ઉપલબ્ધ થઈ જાય છે પરંતુ તે આરોગ્યપ્રદ નથી. બાળકોના સર્વાંગી શારીરિક વિકાસ અને આરોગ્ય માટે તેમને જંકફૂડ ન આપવું જોઈએ.

મેદસ્વિતા-જાડાપણા અંગે અગમચેતી એ જ સલામતી છે. મેદસ્વિતાના કારણે નોન કોમ્યુનિકેશન ડિસિઝનો સામનો કરવો પડી શકે છે. મેદસ્વિતા અંગની જાણકારી માટે ઊંચાઈ અને વજન સાથે બોડી માસ ઇન્ડેક્સ (બીએમઆઈ)ના પરિમાણનો આધાર લેવા માટે આવે છે. નજીકના આરોગ્ય કેન્દ્ર પર વજન અને ઊંચાઈ માપી શકાય છે.

Related Posts