અમરેલી

જેનીબેન ઠુંમર ની કવિ કલાપી ની ઐતિહાસિક ધરોહર જાળવવા કરેલ રજુઆત પરત્વે પુરાતત્વ અને સંગ્રહાલય અભિલેખાગારે સ્થાનિક કક્ષા ઍથી જાળવવા ની સલાહ

લાઠી શહેર ની રાજવી કવિ કલાપી ની ઐતિહાસિક ધરોહર જાળવવા અને વિકસાવવા માટે ગુજરાત રાજ્ય ના મહિલા કોંગ્રેસ અગ્રણી જેનીબેન ઠુંમરે રાજ્ય ના પુરાતત્વ અને સંગ્રહાલય નિયામકશ્રીની કચેરી અભિલેખાગાર ઉદેશી કરેલ રજુઆત સંદર્ભે 

પુરાતત્વ અને સંગ્રહાલય નિયામકશ્રીની કચેરી અભિલેખાગાર દ્વારા લાઠી શહેર ખાતે આવેલ કવિ કલાપીના ઐતિહાસિક વારસાઇને જાળવી રાખવા સંબંધે રાજ્ય ના  પુરાતત્વ અને સંગ્રહાલય નિયામકશ્રીની કચેરી, અભિલેખાગાર કચેરી દ્વારા આ અંગે સ્થાનિક કક્ષા એથી ઐતિહાસિક ધરોહર જાળવી શકે છે ઉપર્યુક્ત વિષય અને સંદર્ભિત પત્રમાં કરવામાં આવેલ રજુઆત બાબતે જણાવ્યું હતું કે લાઠી શહેર એ અત્રેની કચેરીના હસ્તકના રાજય રક્ષિત સ્મારકમાં ન હોવાથી આ અંગેની કાર્યવાહી સ્થાનિક વહીવટ તંત્ર દ્વારા કરી શકાય. હવે જોવાનું એ રહ્યું કે લાઠી નગરપાલિકા દ્વારા રાજવી કવિ કલાપી ની ઐતિહાસિક ધરોહર વારસાઈ જળવાશે ખરી આ મહાપુરુષ ની વારસાઈ ને જીવંત રાખવા કે વિકાસ માટે દરકાર લેવાશે ખરી ? મૃદુહદય ના કવિ કલાપી ના કરોડો ચાહકો કવિ કલાપી ની સ્મૃતિ ઓ જોઈ જાણી શકશે ખરા ?

Related Posts