ભાવનગર

ભાવનગર જિલ્લામાં માર્ગ અને મકાન-રાજ્ય હસ્તકના રોડ-રસ્તાનું રીસર્ફેસિંગ કામ પૂરજોશમાં શરૂ

તાજેતરમાં ભાવનગર જિલ્લામાં રસ્તાઓના રીસર્ફેસિંગના કામો મંજૂર કરવામાં આવ્યાં છે. જે અંતર્ગત
જિલ્લામાં રસ્તાઓના દુરસ્તીકરણની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે. આ સાથે રસ્તાઓના રીસર્ફેસિંગ
માટે પણ જરૂરી વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી છે.
ભાવનગર જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ રાજ્ય હસ્તકના રોડ-રસ્તાનું રીસર્ફેસિંગ કામ પૂરજોશમાં શરૂ
કરવામાં આવ્યુ છે. પાલિતાણા તાલુકાના પાલિતાણા-જેસર રોડ પર રીસર્ફેસિંગ કામ પ્રગતિમાં છે જે ટૂંક સમયમાં પૂર્ણ
થશે. નાગરિકોને સારા રોડ રસ્તાની સુવિધાઓ મળશે ઉપરાંત વાહન વ્યવહાર સુગમ બનશે.

Related Posts