ધર્મ દર્શન

વલ્લભીપુરના દરેડ મેલાણા રોડ-રસ્તાના રીસર્ફેસિંગની કામગીરી પ્રગતિમાં

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાથી બિસ્માર રસ્તાઓને સમથળ કરી પરિવહન વધુ સુલભ બનાવવા
માટે તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી છે, ત્યારે ભાવનગર જિલ્લામાં વિવિધ માર્ગો પર સમારકામની
કામગીરી છેલ્લા ત્રણ દિવસથી ચાલુ છે.
ભાવનગર જિલ્લા માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ દ્વારા વિવિધ સ્થળોએ હાલ રોડ-રસ્તાના રીસર્ફેસિંગની
કામગીરી ચાલી રહી છે. જેમાં વલ્લભીપુરના દરેડ મેલાણા રોડ પર ડામર સ્પ્રે મશીન, બ્રાઉઝર, પેવર મશીન, રોલર
કામ દ્વારા રોડ સમથળ કરવાની કામગીરી પ્રગતિમાં છે.

Related Posts