ઇ્ઈ હેઠળ ખાનગી શાળામાં ગરીબ બાળકોને પ્રવેશ આપવાની શરુ કરાયેલ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. હવે આવેલા ફોર્મ પૂર્ણ રીતે ચકાસણી થયા બાદ બાળકોને પ્રવેશ આપવામાં આવશે. જે ગરીબ બાળકનો પ્રવેશ ફાઈનલ થયા બાદ તેને ખાનગી શાળામાં એડમિશન આપવું ફરજિયાત છે. જાે કોઈ શાળા સંચાલક બાળકને પ્રવેશ આપવામાં ઈન્કાર કરે છે, તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. આવા સંચાલકની શાળાની માન્યતા રદ થવા સુધીના પગલા લેવાઈ શકે છે. માટે જે બાળકને પ્રવેશ આપવામાં કોઈ સંચાલક ધક્કા ખવડાવે છે કે પ્રવેશ આપવામાં ઈન્કાર કરે છે, તો જિલ્લા શિક્ષણ અધિકારી હેલ્પલાઈન પર ફરિયાદ કરવા સૂચના આપવામં આવી છે. ૯૬ હજાર જેટલી અરજીઓ આવી છે?.. છેલ્લા ૧૫ દિવસથી ઇ્ઈને લઈને પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી હતી. જેને લઈને રાજ્યમાં આ વખતે અંદાજે ૮૩ હજાર બેઠકો માટે અંદાજે ૯૬ હજાર જેટલી અરજીઓ આવી છે. જાેકે, પ્રવેશ પ્રક્રિયામાં કોઈ ખોટી રીતે પ્રવેશ ન મેળવી શકે તે માટે આ વખતે વધુ તકેદારી રાખવામાં આવી હતી અને નિયમોનો પણ કડક અમલ કરવામાં આવ્યો.
જેના પગલે ગત વર્ષે એક લાખ ૯૩ હજાર જેટલી અરજીઓ આવી હતી, તેની સામે આ વખતે માત્ર ૯૬ હજાર અરજીઓ જ પ્રવેશ માટે આવી છે. જેના કારણે આ વખતે પ્રવેશ મેળવવામાં ધસારો નહીં થાય તેવું તંત્ર માની રહ્યું છે. ફરિયાદ મળશે તો કયા પગલા લેવામાં આવશે?… હાલ આવેલા ફોર્મની સ્ક્રુટીની કરવામાં આવી રહી છે અને તમામ દસ્તાવેજાેની ચકાસણી બાદ આગામી ૧૦થી ૧૫ દિવસમાં પ્રવેશ ફાળવણી કરવામાં આવશે. તંત્ર દ્વારા આ વખતે શાળાના સંચાલકોને પણ ખાસ આદેશ કરવામાં આવ્યો છે કે, આરટીઈ હેઠળ પ્રવેશ મેળવનાર બાળકને પ્રવેશ આપવામાં ઈન્કાર કરવો નહીં. જાે કોઈ સંચાલક પ્રવેશ આપવાનો ઈન્કાર કરશે અને તેની ફરિયાદ મળશે તો પ્રથમ ૧૦ હજારનો દંડ, બીજીવાર ૨૫ હજારનો દંડ અને ત્યાર બાદ પ્રવેશ માટે આનાકાની કરશે તો શાળાની માન્યતા રદ કરવા સુધીના પગલા લેવામાં આવશે. આ ઉપરાંત વાલીઓને પણ સૂચના આપવામાં આવી છે કે, જાે કોઈ શાળાનો સંચાલક પ્રવેશ આપવામાં ઈન્કાર કરે છે કે પછી પ્રવેશ માટે ધક્કા ખવડાવે છે તો જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા શરુ કરાયેલ હેલ્પલાઈન પર ફરિયાદ કરે. કચેરીએ રુબરુ આવીને પણ વાલી શાળા સંચાલક વિરુદ્ધ ફરિયાદ કરી શકે છે. મહત્વનું છે કે, ગરીબ બાળકો પણ ખાનગી સ્કૂલમાં શિક્ષણ મેળવી શકે તે હેતુથી ખાનગી સ્કૂલના પ્રથમ વર્ષના ૨૫ ટકા બેઠકો આરટીઈ હેઠળ ફાળવવામાં આવેલી છે. તેમ છતાં ભૂતકાળમાં કેટલાક શાળા સંચાલકોની મનમાનીના કારણે વિવાદ થઈ ચૂક્યો છે. જેથી આ વખતે આ પ્રકારનો કોઈ વિવાદ ન થાય તેને લઈને પ્રાથમિક શિક્ષણ વિભાગ સંચાલક સામે કાર્યવાહી કરવા મક્કમ બન્યું છે.
Recent Comments