રાષ્ટ્રીય

રશિયા પર મુસ્લિમ શરણાર્થીઓને બળજબરીથી સેનામાં ભરતી કરવાનો આરોપ

રશિયા પર પહેલાથી જ ઉત્તર કોરિયાના સૈનિકો અને યમનના લડવૈયાઓને સેનામાં સામેલ કરવાનો આરોપ તો છે જ હવે મુસ્લિમને સેનામાં ભરતી કરવાનો લાગ્યો આરોપરશિયા યુક્રેન સામેના યુદ્ધમાં પોતાની સૈન્ય ક્ષમતા વધારવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે. રશિયા પર પહેલાથી જ ઉત્તર કોરિયાના સૈનિકો અને યમનના લડવૈયાઓને સેનામાં સામેલ કરવાનો આરોપ છે. તાજેતરનો મામલો રશિયામાં રહેતા મુસ્લિમ શરણાર્થીઓને બળજબરીથી યુદ્ધના મેદાનમાં લડવા મોકલવાનો છે. અલ જઝીરાના અહેવાલ મુજબ મોસ્કો પોતાની સેના વધારવા માટે મધ્ય એશિયાના વિદેશી કામદારોને નિશાન બનાવી રહ્યું છે. એવા આક્ષેપો છે કે રશિયન રમખાણ પોલીસે કામચલાઉ મસ્જિદોમાંથી ડઝનેક શરણાર્થીઓને ઉપાડ્યા અને બળજબરીથી સેનામાં ભરતી કરી.

અહેવાલ મુજબ, મોસ્કોના દક્ષિણ-પૂર્વ ઉપનગર કોટેલનિકીમાં શરણાર્થી મુસ્લિમો શુક્રવારની નમાજ માટે એકઠા થયા હતા. આ સમયગાળા દરમિયાન, ભારે હથિયારોથી સજ્જ હુલ્લડ પોલીસ અધિકારીઓએ કેટલાક ડઝન લોકોની અટકાયત કરી હતી. કોટેલનિકી એ મોસ્કોમાં એક સ્થળ છે જ્યાં મોટાભાગના સ્થળાંતર કામદારો સસ્તા ભાડાને કારણે રહે છે. મીડિયા અહેવાલો અનુસાર, તમામ પુરુષોને ઓળખ કાર્ડની તપાસ માટે પોલીસ બસમાં બેસાડવામાં આવ્યા હતા અને નજીકના લિબર્ટાસ શહેરમાં લશ્કરી ભરતી કાર્યાલયમાં લઈ જવામાં આવ્યા હતા. અહીં આ લોકોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. જેઓ લશ્કર માટે યોગ્ય જણાયા તેઓને મોસ્કોની પૂર્વમાં લશ્કરી થાણા પર મોકલવામાં આવ્યા હતા અને બે વિકલ્પો આપવામાં આવ્યા હતા – જેલમાં જવું અથવા ભરતી કરવી.

એવા આરોપો છે કે જ્યારે પુલિને આ લોકોને કસ્ટડીમાં લીધા ત્યારે તેમને વકીલોને મળવાની ના પાડી દીધી હતી. એટલું જ નહીં, આ લોકોને કોર્ટમાં બળજબરીથી ભરતીના ર્નિણયને નકારવાની કે લશ્કરી સેવા સામે વાંધો વ્યક્ત કરવાની કોઈ તક નહોતી. અલજઝીરાના રિપોર્ટ અનુસાર આ સમગ્ર ઘટના ઓક્ટોબર મહિનાની જણાવવામાં આવી રહી છે. નિષ્ણાતોના મતે રશિયા મુસ્લિમ શરણાર્થીઓને બળજબરીથી સેનામાં સામેલ કરીને એક કાંકરે બે પક્ષીઓને મારવાનો પ્રયાસ કરી રહ્યું છે. એક તરફ, તે બળજબરીથી મુસ્લિમોની ભરતી કરીને રશિયાને ‘શરણાર્થીઓ’થી મુક્ત કરી રહ્યો છે અને બીજી તરફ, તે યુદ્ધના મેદાનમાં પોતાની તાકાત વધારી રહ્યો છે. અહેવાલો અનુસાર, રશિયન રાષ્ટ્રવાદી જૂથો આ કામમાં પોલીસને મદદ કરે છે અને તેઓ નિયમિતપણે મુસ્લિમ મેળાવડા અથવા અસ્થાયી પ્રાર્થના સ્થળો વિશે માહિતી પ્રદાન કરે છે જ્યાં ઇમિગ્રન્ટ્‌સ મોટી સંખ્યામાં હાજર હોય છે.

નિષ્ણાતો કહે છે કે સ્થળાંતર કરનારાઓને અટકાયતમાં લેવામાં આવે છે અને લશ્કરી સેવામાં ભરતી કરવાની ફરજ પાડવામાં આવે છે, તેમના સહકારની ખાતરી કરવા માટે વિવિધ જાેખમોનો સામનો કરવો પડે છે. આ મુસ્લિમ શરણાર્થીઓને દેશનિકાલની ધમકી આપવામાં આવે છે અથવા ડ્રગની દાણચોરી જેવા ખોટા કેસોમાં ફસાવવામાં આવે છે, જેના કારણે તેઓ લશ્કરમાં જાેડાવા અને યુદ્ધના મેદાનમાં રશિયા માટે લડવાનું પસંદ કરે છે. રશિયા પર આ પ્રકારનો આરોપ કોઈ નવી વાત નથી, આ પહેલા રશિયા પર યુક્રેન વિરુદ્ધ લગભગ ૧૦ હજાર ઉત્તર કોરિયાના સૈનિકોને સામેલ કરવાનો અને પછી યમનના હુતી લડવૈયાઓને સારા પગારની નોકરી અને રશિયન નાગરિકતાનું વચન આપીને સેનામાં સામેલ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે ના.

Related Posts