અમરેલી

ભારતીય સેનાના શૌર્ય અને સાહસને સલામ, સેનાના સન્માનમાં અમરેલી જિલ્લામાં ‘તિરંગા યાત્રા’નું આયોજન: આપ અમરેલી જિલ્લા પ્રમુખ

આમ આદમી પાર્ટી અમરેલી જિલ્લા પ્રમુખ નિકુંજ સાવલિયાએ એક મહત્વપૂર્ણ જાણકારી આપતા જણાવ્યું હતું કે, ભારતીય સેના તથા સૈનિકોને વંદન અને નમન. શૌર્યવાન અને પરાક્રમી ભારતીય સેના દ્વારા પાકિસ્તાન પર કરવામાં આવેલી કાર્યવાહી અને સાહસને આમ આદમી પાર્ટીના એક એક કાર્યકર્તા વંદન કરે છે નમન કરે છે. આપણી મહાન ભારતીય સેનાના અદભુત સાહસને વંદન કરવા માટે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના દરેક જિલ્લામાં ‘તિરંગા યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું. તારીખ 11 મે રવિવારના રોજ આમ આદમી પાર્ટીએ તમામ જિલ્લા મથકોથી તિરંગા યાત્રાનું આયોજન કર્યું.

દરેક જિલ્લા મથક પર નેતાઓ, પદાધિકારીઓ, કાર્યકર્તાઓ સહિત સ્થાનિક લોકો પણ ઉપસ્થિત રહ્યાં. તમામ કાર્યકર્તાઓ અને લોકો હાથમાં તિરંગા લઈને ‘તિરંગા યાત્રા’ શરૂ કરી અને પદયાત્રા કરી. આજે ફરી એકવાર સમગ્ર આમ આદમી પાર્ટી ભારતીય સૈનિકો ને લાખ લાખ વંદન, સલામ, નમન કરે છે કારણે કે આજે દેશના જવાનો સીમા પર અડીખમ ઊભા છે ત્યારે દરેક ભારતીય પોતાના ઘરમાં સુરક્ષિત મહેસૂસ કરી રહ્યા છે, માટે સેના અને જવાનોને લાખ લાખ વંદન અને નમન છે.

Related Posts