ભાવનગર

ભાવનગરની સમરસ કુમાર તથા કન્યા છાત્રાલય દ્વારા બંધારણ દિવસ નિમિત્તે સંવિધાન રેલી યોજાઇ

ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી ગુજરાત રાજય ગાંધીનગર હસ્તકની સમરસ કુમાર અને કન્યા
છાત્રાલય, ભાવનગર દ્વારા બંધારણીય મૂલ્યોની લોક જાગૃતિ અને પ્રોત્સાહન અર્થે બંધારણ દિવસ નિમિત્તે
સંવિધાન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમરસ છાત્રાલયના સમાજ કલ્યાણ અધિકારી, મદદનીશ
સમાજ કલ્યાણ અધિકારી તથા છાત્ર અને છાત્રાઓ દ્વારા જશોનાથ ચોક પાસે આવેલ ડૉ. બી. આર. આંબેડકરજીની
પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી. આ રેલી સમરસ છાત્રાલય કેમ્પસથી વાયા મામલતદાર કચેરી,
પાનવાડી ચોકથી જશોનાથ ચોક સુધી યોજાઇ હતી.

Related Posts