fbpx
રાષ્ટ્રીય

પ્રયાગરાજમાં સંગમનું પાણી સ્નાન માટે યોગ્ય નથી, તેમજ તેનું આચમન પણ લઈ શકાય એવું નથીઃ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલને સોંપ્યો રિપોર્ટ

ઉત્તર પ્રદેશના પ્રયાગજ ખાતે સંગમમાં મહાકુંભ નો મેળો યોજાયો છે જેમાં અત્યારસુધીમાં ૫૪ કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ અમૃત સ્નાન કર્યું છે, ત્યારે હવે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (ઝ્રઁઝ્રમ્)નાં એક અહેવાલમાં જણાવાયું છે કે બંને નદીનું પાણી સ્નાન કરવા યોગ્ય નથી.

ઝ્રઁઝ્રમ્એ ૧૭ ફેબ્રુઆરીના રોજ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી)ને પોતાનો અહેવાલ સુપરત કર્યો. ઝ્રઁઝ્રમ્ એ ૯થી ૨૧ જાન્યુઆરી દરમિયાન પ્રયાગરાજમાં અલગ અલગ સ્થળેથી નમૂનાઓ એકઠા કર્યા. હવે તેમની તપાસનાં પરિણામો જાહેર કરવામાં આવ્યાં છે. એમાં પીએચ એટલે પાણી કેટલું એસિડિક અથવા ક્ષારવાળું છે, ફિકલ કોલીઓર્મ, મ્ર્ંડ્ઢ એટલે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ, ર્ઝ્રંડ્ઢ એટલે કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ અને ડિઝોલ્બડ ઓક્સિજન સામેલ છે.

ઝ્રઁઝ્રમ્ દ્વારા જેટલી જગ્યાએથી સેમ્પલ લેવામાં આવ્યાં છે એમાંથી મોટા ભાગનામાં ફેકલ કોલીફોર્મ બેક્ટેરિયાની માત્રા વધારે જાેવા મળી છે. આ સિવાય ૫ અન્ય સ્તરે પણ પાણીની ગુણવત્તા ધોરણ મુજબ છે. તેમજ જિલ્લામાં બધા સેમ્પલ પોઇન્ટ પર ફેકલ કોલીફોર્મ બેક્ટેરિયા નિર્ધારિત ધોરણથી ઉપર નદીના પાણીમાં ફેકલ કોલિફોર્મ નામનો બેક્ટેરિયા જાેવા મળે છે. સામાન્ય સ્થિતિમાં એક મિલીલિટર પાણીમાં ૧૦૦ બેક્ટેરિયા હોવા જાેઈએ, પરંતુ અમૃત સ્નાનના એક દિવસ પહેલાં યમુના નદીના નમૂનામાં ફેકલ કોલિફોર્મ ૨૩૦૦ મળી આવ્યું હતું. સંગમની આસપાસની પરિસ્થિતિ વધુ ખરાબ છે સંગમમાંથી લેવામાં આવેલા નમૂનામાં એક મિલી પાણીમાં ફેકલ કોલિફોર્મ બેક્ટેરિયાની સંખ્યા ૧૦૦ને બદલે ૨૦૦૦ જાેવા મળી. એવી જ રીતે કુલ ફેકલ કોલિફોર્મ ૪૫૦૦ છે. ગંગા પરના શાસ્ત્રી પુલ પરથી લેવામાં આવેલા નમૂનામાં ફેકલ કોલિફોર્મ બેક્ટેરિયા ૩૨૦૦ અને કુલ ફેકલ કોલિફોર્મ ૪૭૦૦ છે.

સંગમથી દૂરના વિસ્તારમાં બંનેની સંખ્યા ઓછી છે. ફાફામાઉ ક્રોસિંગ નજીકથી લેવામાં આવેલા નમૂનામાં એક મિલીલીટર પાણીમાં ૧૦૦ ને બદલે ૭૯૦ ફેકલ કોલિફોર્મ બેક્ટેરિયા મળી આવ્યા હતા. તેવી જ રીતે, રાજાપુર મેહદૌરીમાં એ ૯૩૦ મળી આવ્યા. ઝુસીમાં છટનાગ ઘાટ અને છડ્ઢછ કોલોની નજીક તેનો જથ્થો ૯૨૦ મળી આવ્યો હતો.
નૈનીમાં અરૈલ ઘાટ પાસે એ ૬૮૦ હતા. રાજાપુરમાં એ ૯૪૦ જાેવા મળ્યા. આવી સ્થિતિમાં, સેન્ટ્રલ પોલ્યૂશન કંટ્રોલ બોર્ડનાં ધોરણો અનુસાર, એ ઝ્ર શ્રેણીમાં આવે છે. એવામાં પાણીને પ્યૂરિફિકેશન વિના અને ડિસઇન્ફેક્ટ કર્યા વિના નાહવા માટે પણ ઉપયોગમાં લઈ શકાય નહીં.

ફેકલ કોલિફોર્મ બેક્ટેરિયાનું વધુપડતું સ્તર રોગોનું કારણ બને છે બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં ગંગા નદી પર સંશોધન કરતા પ્રોફેસર બીડી ત્રિપાઠી કહે છે કે જે પાણીમાં ધોરણ કરતાં વધુ ફેકલ કોલિફોર્મ બેક્ટેરિયા હોય છે એ કોઈપણ ઉપયોગ માટે યોગ્ય રહેશે નહીં. જાે આ પાણી શરીરમાં જાય તો એ રોગોનું કારણ બનશે. જાે આવા પાણીમાં સ્નાન કરવામાં આવે કે પીવામાં આવે તો એનાથી ચામડીના રોગ થઈ શકે છે.

ગંગા અને યમુનાના પાણીનું ૬ પરિમાણ પર પરીક્ષણ કરવામાં આવ્યું સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા અહેવાલમાં ગંગા અને યમુના નદીઓના પાણીનું કુલ ૬ પરિમાણો પર પરીક્ષણ કરવામાં આવ્યું છે. એમાં પીએચ એટલે પાણી કેટલું. ક્ષારવાળું છે, ફેકલ કોલફોર્મ, મ્ર્ંડ્ઢ એટલે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ, ર્ઝ્રંડ્ઢ એટલે કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ અને ડિઝોલ્બ્ડ ઓક્સિજન સામેલ છે. આ ૬ સ્તરે જેટલી જગ્યાએથી સેમ્પલ લેવામાં આવ્યાં છે, તેમાં ફેકલ કોલીઆર્મ બેક્ટેરિયાની માત્રા ધોરણો કરતાં વધુ મળી આવી છે. આ સિવાય અન્ય ૫ સ્તરે પાણીની ગુણવત્તા ધોરણ અનુરૂપ છે.

વર્ષ ૨૦૧૯ના કુંભામાં પણ આવી જ સ્થિતિ હતી ૨૦૧૦ના કુંભમાં પણ આવી જ સ્થિતિ હતી. સીપીસીબીના અહેવાલમાં સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું છે કે સ્નાનના મુખ્ય દિવસોમાં પણ પાણીની ગુણવત્તા નબળી હતી. વર્ષ ૨૦૧૯ના કુંભમેળા દરમિયાન ૧૩ કરોડથી વધુ ભક્તોએ સ્નાન કર્યું હતું. રિપોર્ટ અનુસાર, કરસર ઘાટ પર મ્ર્ંડ્ઢ અને ફેકલ કોલિફોર્મનું સ્તર સ્વીકાર્ય મર્યાદાથી ઉપર જાેવા મળ્યું. મુખ્ય સ્નાન દિવસોમાં, સાંજ કરતાં સવારે મ્ર્ંડ્ઢ સ્તર નોંધપાત્ર રીતે વધારે હતું.

Follow Me:

Related Posts