ગુજરાત

સત્ય મેવ જયતે સુરતના અમરોલી પોલીસ સ્ટેશનમાં બિલ્ડર દ્વારા કરવામાં આવેલ કેસમાં આગોતરા જામીન મળ્યા સત્યવિચાર ન્યુઝ પેપરના તંત્રીના આગોતરા જામીન મંજૂર નામદાર હાઇકોર્ટ દ્વારા આગોતરા જામીન અરજી મંજૂર કરવામાં આવી 

   સુરતમાં સત્ય વિચાર ન્યુઝ પેપર ના તંત્રી અને હંમેશા સત્ય અને આગળ રાખી સત્ય ની દિશામાં જ સમાચારની પ્રોત્સાહન આપનાર કિશોરભાઈ હિંમતભાઈ ઈસામલિયા સામે સુરતના અમરોલી પોલીસ સ્ટેશનમાં બિલ્ડર દ્વારા આક્ષેપબાજી સાથેની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં આ ફરિયાદ અન્વયે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં ૧૧૨૫૭/૨૫ થી દાખલ કરવામાં આવેલ જામીન અરજીની આજરોજ સુનાવણી ધરવામાં આવી હતી જેમાં જામીન અરજીની સુનાવણીના અંતે ગુજરાત હાઇકોર્ટ દ્વારા તેઓના જામીન ગ્રાહ્ય રાખી જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. મહત્વનું છે કે મીડિયાને ખોટી રીતે દબાવવાનો પ્રયાસ અનેક વાર થાય છે પરંતુ અમુક કથિત પત્રકારોને છોડીને સત્યતાની દિશામાં સમાચારોને પ્રોત્સાહન આપી અને લોકોના માટે અવાજ ઉઠાવનાર પત્રકારોની હંમેશા અંતે જીત થાય છે. જો કે આ કેસમાં પણ બિલ્ડર દ્વારા કરવામાં આવેલ ફરિયાદ સાચી છે કે ખોટી તે તો ન્યાયાલય નક્કી કરશે પરંતુ હાલમાં તો ન્યાયાલય સાચી દિશામાં અને યોગ્ય ન્યાય આપે તેવી આશા છે સત્ય મેં ડરાવી દબાવી કે પ્રભાવિત કરવાની મુરાદ સામે સત્ય મેવ જયતે નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ તર્કબદ્ધ રજૂઆતો થી નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા આગોતરા જામીન મંજુર થતા સમગ્ર સત્ય વિચાર દૈનિક પરિવાર ના સત્ય ના પ્રહરી કિશોર ઈસાલિયા ના જામીન મંજુર થતા સમગ્ર સત્ય વિચાર દૈનિક પરિવાર માં ખુશી વ્યાપી હતી 

Related Posts