અમરેલી

સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડ તા.૧૮થી ર૬ સુધી બંધ રહેશે

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સાવરકુંડલા દ્વારા જાહેરાત કરતાં જણાવવામાં આવેલ કે શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, સાવરકુંડલા જી.અમરેલી દ્વારા આગામી દીવાળી પર્વ નિમિતે તા.૧૮/૧૦/૨૦૨૫ ને શનીવાર થી તા.૨૬/૧૦/૨૦૨૫ રવિવાર સુધી રજા જાહેર કરવામાં આવે છે. જે દરમ્યાન સાવરકુંડલા માર્કેટયાર્ડનું તમામ કામકાજ બંધ રહેશે. તા.૨૭/૧૦/૨૦૨૫ ને સોમવારથી તમામ જણસીઓની હરરાજી તેમજ માર્કેટયાર્ડનું કામકાજ રાબેતા મુજબ શરૂ થશે. જે અન્વયે રજાઓ બાદ તમામ જણસીઓની આવકને તા.૨૬/૧૦/૨૦૨૫ ને રવીવારથી પ્રવેશ મળશે.જેની દરેક ખેડુતભાઇઓ, વાહનધારકો,કમીશન એજન્ટો, વેપારીઓ તથા લાગતા વળગતાઓએ નોંધ લેવા સેક્રેટરી એ.પી.એમ.સી. સાવરકુંડલાની એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

Related Posts