સાવરકુંડલા નગરપાલિકા દ્વારા એક નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે.જેમાં માનનીય ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા માર્ગદર્શનથી સાવરકુંડલા નગરપાલિકા દ્વારા શહેરના દરેક વોર્ડમાં લોકદરબારનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું. જે અંતર્ગત વોર્ડ નંબર ૨ માં આજરોજ ભગીરથ સગર વાડી ખાતે નગરપાલિકા પ્રમુખશ્રી મેહુલભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ શ્રી પ્રતિકભાઈ નાકરાણી,ચેરમેનશ્રી અશોકભાઈ ચૌહાણ,ચીફ ઓફિસર શ્રી એચ.પી બોરડ સાહેબ તેમજ નગરપાલિકાના તમામ શાખાના અધિકારીઓની ઉપસ્થિતિમાં લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.આ લોકદરબારમાં સ્થાનિક રહીશો દ્વારા ૨૦ થી વધારે પ્રશ્નો મૂકવામાં આવ્યા. જેમાંથી સ્થળ પર જ અમુક પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું અને બીજા પ્રશ્નો નું થોડા દિવસોમાં નિરાકરણ લાવી આપવાની ખાતરી અને બાંહેધરી આપવામાં આવી હતી.
આ તકે સાવરકુંડલા શહેર ભાજપ પ્રમુખશ્રી અનિરુદ્ધસિંહ રાઠોડ, મહામંત્રી શ્રી રાજુભાઈ નાગ્રેચા, વિજયસિંહ વાઘેલા, પૂર્વ પ્રમુખ શ્રી પ્રવીણભાઈ સાવજ ,નગરપાલિકા સદસ્ય શ્રી અજયભાઈ ખુમાણ, મંજુલાબેન ચિત્રોડા, જયાબેન કારેણા,અમિતભાઇ પંડયા, ભાવેશભાઈ વિકમા, ભાવેશભાઈ શેલડીયા સહિત સંગઠનના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા.નગરપાલિકાના આ નવતર પ્રયોગ ને સ્થાનિક રહીશોને દ્વારા બિરદાવ્યો હતો અને આવી જ કામગીરી કરતા રહો તેવી રહીશો દ્વારા શુભકામના આપવામાં આવી હતી. તેમ પત્રકાર યશપાલ વ્યાસ ની યાદીમાં જણાવેલ છે .
સાવરકુંડલા નગરપાલિકા આપના દ્વારે પ્રથમ વખત સાવરકુંડલામાં લોક દરબાર

Recent Comments