ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ એ શૈક્ષણિક ક્રાંતિ સ્વરૂપ શાળા પ્રવેશોત્સવનો ૨૦૦૩ થી પ્રારંભ કરાવ્યો હતો.
૨૩ વર્ષ ની તપસ્યાને કારણે ગુજરાતમાં ડ્રોપ આઉટ રેશિયો ૧% કરતાં પણ ઓછો
.ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે વર્ષ ૨૦૦૩ માં શરૂ કરેલા શૈક્ષણિક ક્રાંતિ સ્વરૂપ શાળા પ્રવેશોત્સવનો શુભારંભ સાવરકુંડલા વિધાનસભામાં પણ ઉત્સાહભેર કરવામાં આવ્યો.ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભાશિષ પાઠવ્યા હતા.કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૫ અંતર્ગત રાજ્યભરમાં ૨૬ થી ૨૮ જૂન
દરમિયાન આંગણવાડી, બાલવાટિકા અને શાળાઓમાં બાળકોને પ્રવેશ આપવા માટે કાર્યક્રમો યોજાયા હતા.આ કાર્યક્રમ અંતર્ગત અમરેલી જિલ્લાના સાવરકુંડલા વિધાનસભામાં સાવરકુંડલા શહેરની શાળા નંબર ૧૦,જે.વી. મોદી હાઈસ્કૂલ,એ.કે. ઘેલાણી હાઈસ્કૂલ,સાવરકુંડલા તાલુકાની ધાર પ્રાથમિક શાળા,પિયાવા પ્રાથમિક શાળા,પી.પી.એસ. હાઈસ્કૂલ વંડા,અને લિલિયા તાલુકાની ખારા પ્રાથમિક શાળા,હરિપર પ્રાથમિક શાળા,ગુંદરણ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને પ્રવેશઆપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે શ્રી કસવાલાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા શરૂ કરાયેલી આ પહેલના ૨૨મા વર્ષે ધોરણ-૧માં વિદ્યાર્થીઓનો નામાંકન દર ૭૫% થી વધીને ગૌરવપૂર્ણ રીતે ૧૦૦% થઈ ગયો છે. તેમણે ઉમેર્યું હતું કે ૨૦૦૩ થી શરૂ થયેલી આ શિક્ષણ યાત્રાઅનેક પરિવારોના ભવિષ્યને ઉજ્જવળ બનાવ્યું છેઆ અવસરે “એક પેડ માં કે નામ” અભિયાન હેઠળ શાળાના આંગણમાં વૃક્ષારોપણ કર્યુઆ કન્યા કેળવણી મહોસત્વ અને શાળા પ્રવેશોસત્વ મા નગરપાલિકા,તાલુકા પંચાયત પદાધિકારી, સદસ્યો, સંગઠન ના હોદેદારો, વિભાગના અધિકારીઓ તેમજ સ્થાનિક આગેવાનો
ઉપસ્થિત રહ્યા હતા
Recent Comments