‘દાદુ’ એટલે કે હિતેષભાઈ પંડ્યા. ૮ સપ્ટેમ્બરને સોમવારે તેઓ ૭૫ વર્ષ પૂરા કરી ૭૬ માં પ્રવેશ કરશે.
બહુમુખી પ્રતિભા ધરાવનાર હિતેષભાઈ પંડયાએ ગુજરાતના પાંચ-પાંચ મુખ્યમંત્રી સાથે ૨૩ વર્ષ કામ કર્યું છે.
વરિષ્ઠ પત્રકાર, BLOGGER:VLOGER: SOCIAL MEDIA INFLUNCER તરીકે સન્માનીય સ્થાન ધરાવે છે. તેઓ Facebook અને X (ટ્વિટર) ૫૨ ૨૫ હજારથી વધુ followers ધરાવે છે.
૧૯૭૦ થી સંઘ-જનસંઘ વિચારધારા સાથે ઓતપ્રોત દાદુ નરેન્દ્રભાઈ મોદીનાં વિચારોને પ્રેરિત “NATION FIRST” পা સ્થાપક તેમજ સ્વદેશી રાષ્ટ્રવાદી ‘ઇન્ડિયન લાયન્સ’નાં ચીફ PA-TRON, એક ભારત શ્રેષ્ઠ ભારતના વિચારને મૂર્તિમંત કરવા સમર્પિત ભારત ભારતી’ નાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ છે. સમસ્ત ઔદિચ્ય ગઢિયા બ્રહ્મસમાજના અખિલ ભારતીય પ્રમુખ છે. જીવનમાં કામ કરતાં કરતાં જો મોજ-મસ્તીનો આનંદ લેતાં શીખવું હોય તો દાદુ હિતેષ પંડ્યાને એકવાર જરૂર મળો.
જીઓ તો ઐસે જીઓ જૈસે સબ તુમ્હારા હૈ. ને જીવન મંત્ર બનાવનાર હિતેષભાઈ કાયમી status છે ‘મોજ એ દરિયા’
ઇન્ડિયન લાયન્સ જેવી સ્વદેશી અને રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતી સંસ્થા અને પીએમ મોદીના વિચારોથી પ્રેરિત નેશન ફર્સ્ટ ફાઉન્ડેશનના પ્રણેતા એવા હિતેષભાઈ પંડયા હાલ FREELANCER, બ્લોગર, (vloger) તેમજ Consult-ant તરીકે MAADHYAM દ્વારા વિવિધ અખબારો/સામયિકો / NGO/ સ્વૈચ્છિક સંસ્થા અને શૈક્ષણિક સંસ્થઓમાંને તેમની વિશિટ શૈલી દ્વાર માર્ગદર્શન આપી રહ્યાં છે.
ગુજરાત રાજ્યમાં ઈન્ડિયન લાયન્સ સંસ્થાની ૮૦થી વધુ ક્લબો આવેલી છે. જે ઈ. લા. હિતેષભાઈ પંડયાના જન્મદિવસને ‘સાક્ષરતા દિવસ’ તરીકે ઉજવશે.
વડોદરામાં જન્મેલા શ્રી હિતેષભાઈ પંડયાએ તેમનું પ્રારંભિક શિક્ષણ જામનગરની સેન્ટ ઝેવીયર્સ સ્કૂલમાં લીધું ત્યારબાદ તેઓનો પરિવાર રાજકોટમાં સ્થાયી થયા પછી તેઓનું પ્રાથમિક શિક્ષણથી માંડીને પત્રકારત્વ સુધીનું શિક્ષણ ST. MARY’S JJ KUNDALIYA COL-LEGE માં જ પૂર્ણ થયું.
ગુજરાતી ભાષી પ્રતિષ્ઠિત જન્મભૂમિ ગ્રુપ ઓફ ન્યુઝ પેપર્સના રાજકોટથી પ્રકાશિત, માતબર અને પ્રતિષ્ઠિત દૈનિક ફૂલછાબમાં હિતેષભાઈ પંડયાએ ૨૨ વર્ષ સુધી Chief Sub Editor, News Editor, Dy. Editorના વિવિધ હોદ્દા પર તેમણે બખૂબી જવાબદારી નિભાવી હતી.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં હિતેષભાઈ પંડયાને રાષ્ટ્રીય કારોબારીમાં સ્થાન મળ્યું હતું અને દેશના રાજકીય ઈતિહાસની દિશા બદલનાર નવનિર્માણ આંદોલનમાં સૌરાષ્ટ્રનું દરમિયાન દેશભરમાં લદાયેલી કટોકટી દરમિયાન અગિયાર માસ સુધી જેલવાસ ભોગવ્યો હતો. જેથી તેઓ મીસાવાસી તરીકે પણ ઓળખાય છે.
હિતેષભાઈ પંડયાએ રાજકોટ મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ (Municipal School Board)ના અધ્યક્ષ તરીકે પણ ફરજ બજાવી હતી. સને ૨૦૦૧માં તેઓએ ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશના બૌદ્ધિક પ્રકોપ્ટ (Intellectual Cell) પ્રદેશ પ્રમુખ તરીકે પણ કામગીરી બજાવેલ છે.
આ ઉપરાંત સહકારી ક્ષેત્રે સમગ્ર ભારતમાં અગ્રેસર એવી રાજકોટ નાગરિક સહકારી બેંકની ગાંધીનગર શાખાની સ્થાનિક કમિટિના હિતેષભાઈ બોર્ડ મેમ્બર છે. તાજેતરમાં રાજકોટમાં RNSBની સામાન્ય સભામાં તેઓનું વિશિષ્ઠ સન્માન કરાયું હતું.
નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી… જય રણછોડ માખણ ચોર… જેવી ધૂનને સૌરાષ્ટ્રમાં લોકપ્રિય બનાવી અને રાજટકોમાં કૃષ્ણ જન્મોત્સવ રથયાત્રાની શરૂઆત કરી અને આ સાથે જ તેઓએ રાજકોટ સ્થિત બ્રહ્મ સોશ્યલ ગ્રુપની સ્થાપના કરી.
ગુજરાતના પાટનગરમાં સ્થાયી થયા બાદ તેમણે ઔદિચ્ય ગઢિયા બ્રહ્મ સમાજ, ગાંધીનગર ઘટકની સ્થાપના કરી હતી. હાલમાં અખિલ ભારતીય ઔદિચ્ય ગઢિયા બ્રહ્મસમાજ ફેડરેશનના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે કાર્યરત છે. તેમના ધર્મપત્ની આશાબેન પંડયા પણ હિતેષ ભાઈ સાથે તેમની વિવિધ સામાજિક પ્રવૃત્તિઓમાં સહભાગી બને છે. હિતેષભાઈ પંડયાને જન્મદિવસ પર HAPPY BIRTHDAY WISH કરવા માટે તેમનો WHATSAPP 9978406015 પર MES-SAGE કરી શકો છો.
Recent Comments