અમદાવાદમાં જીય્ફઁના સ્વામી સ્મૃતિ મહોત્સવમાં કેન્દ્રીય પ્રધાન અમિત શાહે ભારતના ગુણગાન કર્યા છે. તેમણે કહ્યું કે આઝાદી બાદ ભારતને જાણનાર અને ચાહનારને થતું કે દેશ આઝાદ તો થયો પરંતુ દિશા ભારત તરફની નથી. ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે દેશના વડાપ્રધાન બન્યા, ત્યાર બાદ દેશની સ્થિતિ બદલાઈ છે. કોરોના સમયે નિષ્ણાતો ચિંતા કરતા કે ભારત શું કરશે? પરંતુ વડાપ્રધાનની એક અપીલ પર ૧૪૦ કરોડ દેશવાસીઓ એક થઈને સામનો કર્યો છે. તો અમિત શાહે રામમંદિર અંગે પણ વાત કરી અને કહ્યું કે ૫૫૦ વર્ષથી જેની રાહ જાેતા હતા.
તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાર્થક કરી બતાવ્યું છે. અમિત શાહે આ સ્થળે જ દેશની જનતાને આહવાન કર્યું છે કે, ૨૦૨૪ની ચૂંટણીમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિજયી બનાવજાે. આ ભારતનો સુવર્ણયુગ ચાલી રહ્યો છે. જેને તપતો રાખવા માટે ૨૦૨૪ને સાચવી દેવું પડશે. અમિત શાહે સુરક્ષાની પણ વાત કરી.અને દુશ્મનોને કેવી રીતે ઘરમાં ઘુસીની મારવા માટે દેશ સજ્જ થયો છે.તે વાત પણ કરી હતી. તેમણે કહ્યું કે, દેશ હવે એ સાંખી લેવા જરા પણ તૈયાર નથી કે, તેની સુરક્ષા સાથે ચેડાં થાય.હવે દેશની કોઈ સીમા અસુરક્ષિત નથી.જેઓ દેશના જ દુશ્મનો બન્યા હતા. તેમને પણ હવે હકીકતનું ભાન થયું છે.
Recent Comments