કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાની પ્રેરક ઉપસ્થિતિમાં ભાવનગરમાં શેત્રુંજી સિંચાઇ યોજનાનું પાણી છોડાયું

ભાવનગર જિલ્લાના ખેડૂતોને રવી, ઉનાળું પિયત માટે મહત્તમ પાણી મળી રહે તે માટે આજરોજ કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાની પ્રેરક ઉપસ્થિતિમાં શેત્રુંજી સિંચાઇ યોજના દ્વારા નહેર વાટે પાણી છોડવામાં આવ્યું હતું.અત્રે નોંધનીય છે કે, શેત્રુંજી સિંચાઇ યોજનામાંથી રવી, ઉનાળું સિંચાઇ માટે પાણી છોડવામાં આવ્યું છે. શેત્રુજ્ય ડેમના ડાબા તથા જમણા કેનાલ મારફતે ભાવનગર જિલ્લાના પાલીતાણા, તળાજા, મહુવા અને ભાવનગરના ચાર તાલુકાની સાથે ઘોઘા તાલુકાના ૧૨૨ ગામોમાં સિંચાઇનું પાણી આપવામાં આવશે. આ પાણી આગામી એપ્રિલ મહિના સુધી ૧૧,૫૫૦ હેક્ટર જમીનને આપી પિયતનો પૂરતો લાભ આપવામાં આવશે. આ વેળાએ તળાજાના ધારાસભ્યશ્રી ગૌતમભાઇ ચૌહાણ અને ભીખાભાઈ બારૈયા,સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી આશિષભાઇ બાલધિયા, શ્રી ભગીરથસિંહ સરવૈયા, શ્રી રાજપાલસિંહ સરવૈયા, શ્રી શીવાભાઇ ચૌહાણ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ સહિત સિંચાઇ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
Recent Comments