ભાવનગર

માનવ જ્યોત મુંબઈ તથા હેલ્થ ઍન્ડ કેર સંસ્થા અમદાવાદ ના સંયુકત ઉપક્રમે યોજાયેલ સેવા સન્માન થી શિશુવિહાર નું અભિવાદન

ભાવનગર શિશુવિહાર સંસ્થા નું અભિવાદન માનવ જ્યોત મુંબઈ તથા હેલ્થ ઍન્ડ કેર સંસ્થા અમદાવાદ ના સંયુકત ઉપક્રમે યોજાયેલ સેવા સન્માન થી શિશુવિહાર ની માનવ સેવા નું અભિવાદન થયું છે..

ગુજરાત ના જાણીતા ચિંતક ડૉ. વિશાલ ભાદાણી ના અધ્યક્ષ સ્થાને અમદાવાદ ખાતે તા.૧૩ એપ્રિલ માં રોજ યોજાયેલ ગરીમાપૂર્ણ  સમારોહ માં શિશુવિહાર સેવા સંસ્થા ના ચીફ કોર્ડિનેટર શ્રી હિના બહેન ભટ્ટ નું સ્મૃતિ પત્ર થી સેવા સન્માન થયું હતું..આ પ્રસંગે શ્રી ધર્મેશ ભાઈ વડોદરીયા, શ્રી દીપા બહેન જોશી તથા  શ્રી જાગ્રુતિબહેન વેગડ વિશેષ ઉપસ્થિતી દાખવી ભાવનગર થી શિશુવિહાર ની સેવા પ્રવૃતિઓનો પરિચય રજૂ કર્યો હતો…

Related Posts