આપશ્રીની આજ્ઞા મુજબ શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય ઉત્સવ ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવેલ છે સવારે પ્રભાત ફેરી શ્રી મહાપ્રભુજી બેઠકજી ઉપર આવતા મંગળા દર્શન વૈષ્ણવોને કરાવવામાં આવેલ ત્યારબાદ દર એકાદશીએ શ્રી ગિરિરાજજીને દુગ્ધાભિષેક કરાવવામાં આવેલ ત્યારબાદ શ્રી ગિરિરાજજીને તીલક આરતી કરાવેલ ૧૦-૩૦ વાગે શ્રી મહાપ્રભુજીના પલનામાં ઝુલાવવામાં આવેલ ત્યારબાદ નંદમહોત્સવ થયેલ જેમાં અમરાપુર તથા સાવરકુંડલા તાલુકાનાં કિર્તનકાર ભાઈઓ બહેનોને ખુબ જ ભાવથી સુંદર કિર્તનો ગાન કરી વૈષ્ણવોના હ્દયમાં આનંદ આનંદ છવાઈ ગયો હતો પછી શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે શ્રી મહાપ્રભુજીના ચિત્રજીને તીલક માલાજી કેસર સ્નાન પાદુકાજીને મુખ્ય મનોરથીઓ દ્વારા કરાવવામાં આવેલ પછી હાજર રહેલા તમામ વૈષ્ણવોએ કેસર સ્નાનનો લાભ મેળવેલ સાથે સાથે ખાસ આજના ઉત્સવ નિમિત્તે પાઠશાળાના બાળકો દ્વારા શ્રી નાથજી પ્રથમ મિલન નાટક રજુ કરવામાં આવેલ જેનાથી દરેક વૈષ્ણવોએ મંત્રમુગ્ધ થઇ ગયા હતા પછી રાજભોગમાં શ્રી ને તિલક આરતીના દર્શન વૈષ્ણવોએ કરેલ. હાજર રહેલા તેમજ આમંત્રણ આપેલા તમામ વૈષ્ણવોએ હજારોની સંખ્યામાં મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવેલ
આ ઉત્સવને સફળ બનાવવામાં આપશ્રીના આશીર્વાદથી કમિટીના ભાઈઓ મહિલા મંડળ તેમજ દરેક મનોરથીઓ વૈષ્ણવોના સાથ સહકારથી ધામધૂમથી ઉજવવામાં આવેલ છે અતિશય તાપ ગરમી હોવા છતાં વૈષ્ણવોએ ઉત્સાહથી શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય ઉત્સવ ધામધૂમથી ઉજવેલ આ તબક્કે શ્રી મહાપ્રભુજી કમિટીના ભાઈઓ બહેનો તમામ વૈષ્ણવોનો આભાર વ્યક્ત કરેલ
Recent Comments