અમરેલી

રામેશ્વર તીર્થમાં શ્રી વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને રામકથા 

રામેશ્વર તીર્થમાં શ્રી વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને રામકથામાં સનાતન સંસ્કૃતિ અને રાષ્ટ્રપ્રેમ 

મીરા મહિલા મંડળ મુંબઈ દ્વારા થયેલ આયોજનમાં પ્રસંગ ઉજવણી સાથે ભાવિક શ્રોતાઓને લાભ

જાળિયા બુધવાર તા.૨૮-૫-૨૦૨૫

સેતુબંધ રામેશ્વર તીર્થમાં શ્રી વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને યોજાયેલી રામકથામાં સનાતન સંસ્કૃતિ અને રાષ્ટ્રપ્રેમ વ્યક્ત થઈ રહેલ છે. મીરા મહિલા મંડળ મુંબઈ દ્વારા થયેલ આયોજનમાં પ્રસંગ ઉજવણી સાથે ભાવિક શ્રોતાઓને લાભ મળ્યો છે.

ધર્મકથા માત્ર ક્રિયાકાંડ ન બને તેવાં સંદેશા સાથે સેતુબંધ રામેશ્વર તીર્થમાં શ્રી શિવકુંજ આશ્રમ જાળિયાનાં શ્રી વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને ગુરુવાર તા.૨૨થી શુક્રવાર તા.૩૦ દરમિયાન યોજાયેલી રામકથામાં સનાતન સંસ્કૃતિ અને રાષ્ટ્રપ્રેમ વ્યક્ત થઈ રહેલ છે. રાષ્ટ્રનાં વીર સપૂતોને દિવ્ય શક્તિ પ્રદાનાર્થે આ કથામાં રાષ્ટ્ર અને સમાજ પ્રત્યે જાગૃતિ માટે અને વ્યસન મુક્તિ, વૃક્ષારોપણ વગેરે અંગે ખાસ સંદેશો અપાઈ રહ્યો છે. 

તાજેતરમાં નક્સલી અથડામણમાં વીરગતિ પામેલ કેન્દ્રીય અનામત સુરક્ષા દળનાં જવાન અને સિહોર પાસેનાં દેવગાણાનાં વતની શ્રી મેહુલ સોલંકીને વ્યાસપીઠ પરથી શ્રધ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

મીરા મહિલા મંડળ મુંબઈ દ્વારા થયેલ આયોજનમાં શ્રી રામ જન્મ સહિત વિવિધ કથા પ્રસંગ ઉજવણી સાથે ભાવિક શ્રોતાઓને લાભ મળ્યો છે. આ રીતે સનાતન સંસ્કૃતિ સાથે રાષ્ટ્રપ્રેમનું દર્શન રહ્યું છે.

Related Posts