ભાવનગર બાળકોમાં સર્વ ધર્મ સમભાવ ની ભાવનાનો વિકાસ થાય. તથા બાળ વય થી જ સામાજિક સોહાર્દની માનસિકતા કેળવવા માટે શિશુવિહાર બાલમંદિરમાં ક્રિસમસ પર્વ ની ઉજવણી કરવામાં આવી. બાલમંદિરના આચાર્ય શ્રી અંકિતાબેન ભટ્ટ ના માર્ગદર્શન નીચે પ્રતિવર્ષ યોજાતા કાર્યક્રમમાં 50થી વધુ બાળકોએ ભાગ લીધો હતો .અને ફ્રુટ કેક તથા સાન્તાક્લોઝ દ્વારા આપવામાં આવે આવેલ ભેટ સાથે સમૂહમાં પ્રાર્થના કરી હતી.
ભાવનગર શિશુવિહાર માં સામાજિક સોહાર્દ પૂર્ણ ક્રિસમસ પર્વ ની ઉજવણી

Recent Comments