શ્રી જ્ઞાનમંજરી સ્કૂલ રાળગોન નું ધોરણ 12 નું 100% પરિણામ
તળાજા તાલુકાના રાળગોન ગામની શ્રી જ્ઞાનમંજરી શાળામાં હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા નવાગામ (બડેલી) ના રત્નકલાકારના પુત્ર ગૌસ્વામી સત્યમપરી વિજયપરીએ ગઈકાલે જાહેર થયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં 99.94 PR મેળવ્યા છે તેઓએ B.A અને આંકડાશાસ્ત્ર વિષયમાં 100 માંથી 100 ગુણ મેળવ્યા છે. જેઓએ ધોરણ 10 માં 72% મેળવ્યા હતા ત્યારબાદ આયોજન પૂર્વકની તૈયારી અને શાળાના માર્ગદર્શનથી પોતાના ધોરણ 12 ના પરિણામમાં 25% જેટલો અભૂતપૂર્વ વધારો કર્યો છે. સત્યમપરી C.A ના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી તે ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છે છે.જેઓએ શાળા પરિવારનો આભાર વ્યક્ત કર્યો છે
Recent Comments