શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર – સાવરકુંડલા દ્વારા સૌપ્રથમ વખત 100% નિ:શુલ્ક પ્લાસ્ટિક સર્જરી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તેમના સહયોગી દોશી સ્માઇલ્સ ઇંગા હેલ્થ ફાઉન્ડેશન અને ઠાકરશી ચેરીટેબલ ટ્રસ્ટ, અમદાવાદ તરફથી છે.
આ કેમ્પનો મુખ્ય હેતુ જન્મજાત ખોડખાંપણ જેવી કે ફાટેલા હોઠ, ફાટેલા તાળવું, વાંકાચૂકા દાંત, જડબાની ખામીઓ, ચહેરા પરની લોહીની ગાંઠ અને મોઢું ન ખુલતું હોવું જેવી સમસ્યાઓનું નિદાન અને અસરકારક સારવાર પૂરી પાડવાનો છે.
આ વિશેષ કેમ્પમાં જાણીતા ક્લેફ્ટ અને ક્રે નિયો-મેક્સિલોફેસિયલ સર્જન, ડૉ. રિષભ શાહ (MDS, FCCS) નિષ્ણાત સેવા આપશે. તેઓ બાળકો માં જન્મજાત ખોડખાંપણ ને દૂર કરીને, તેમને નવા આત્મવિશ્વાસ સાથે જીવન જીવવા પ્રેરિત કરશે.જન્મજાત ખોડખાંપણ જેવી સમસ્યાઓ ફક્ત શારીરિક જ નહીં , પરંતુ ભાવનાત્મક વિકાસને પણ અસર કરે છે. ફાટેલા હોઠ અને તાળવું જેવી ખામી થી પીડાતા બાળકો ને બોલવામાં અડચણો, ખોરાક ગળે ઉતારવામાં તકલીફ અને શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે. આ કારણે શૈક્ષણિક અને સામાજિક જીવનમાં અવરોધ ઊભા થાય છે.
સમયસર અને યોગ્ય પ્લાસ્ટિક સર્જરી દ્વારા આ સમસ્યાઓને દૂર કરી શકાય છે, જે બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે અત્યંત જરૂરી છે. આ કેમ્પ દ્વારા દર્દીઓને વિનામૂલ્યે ઉચ્ચતમ સ્તરની સારવાર મળી શકશે. સાવરકુંડલાના ઇતિહાસમાં પ્રથમ વખત આવી અદભુત નિ:શુલ્ક સેવા મળવાની તક મળી રહી છે. જન્મજાત ખોડખાંપણ થી પીડાતા બાળકો અને તેમના પરિવારજનો માટે આ કેમ્પ આશાની કિરણ બનીને આવ્યો છે. વધુમાં વધુ લોકોએ આ સેવાનો લાભ લેવા અને આ સુવર્ણ તકનો લાભ મેળવવા અપીલ કરવામાં આવે છે. તેમ પત્રકાર યશપાલ વ્યાસ ની યાદીમાં જણાવેલ છે.
કેમ્પ માટે નામ નોંધણી અને વધુ માહિતી માટે : અમિત જોષી: 90336 87549 | હરીશ જાદવ: 98798 92684
તારીખ: 23 ફેબ્રુઆરી 2025, રવિવાર – સમય: સવારે 09:30 થી બપોરે 02:00
Recent Comments