સ્વામીનારાયણ ગુરુકુળ સાવરકુંડલા દ્વારા મોતિયાના દર્દ થી પીડાતા દર્દીઓને ધ્યાનમાં રાખી તા- 07/03/2024 ને શુક્રવાર ના રોજ શાસ્ત્રી સ્વામી જ્ઞાનપ્રસાદદાસજી ની પાવન સ્મૃતિ માં 333 માં નેત્ર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિરનગર હોસ્પિટલ ના સુપર સ્પેશ્યાલિસ્ટ ડોકટર દ્વારા 68 જેટલા મોતિયા ના દર્દીઓ ની તપાસ કરવામાં આવી, જેમાંથી કુલ 23 જેટલા દર્દીઓ ને મોતિયાના ઓપરેશન ની જરૂર હોય એને સંસ્થા દ્વારા વિનામૂલ્યે ઓપરેશન તેમજ સારવાર આપવામાં આવી હતી. અને જે દર્દીઓ ને ચશ્મા અને દવાઓ ની જરૂર હતી એમને સંસ્થા દ્વારા વિનામૂલ્યે ચશ્મા તેમજ દવાઓ પૂરી પાડવામાં આવી હતી. 333 માં વિના મૂલ્યે મહા નેત્રયજ્ઞ નું દિપ પ્રાગટ્ય સંસ્થાના વડા પરમ પૂજ્ય શાસ્ત્રી ભગવતપ્રસાદ દાસજી સ્વામી તથા વીરનગર હોસ્પિટલ ના ડોક્ટર દ્વારા કરવામાં આવેલ. નેત્ર કેમ્પ ના યજમાન પદે ખીમજી માવજી કેરાઈ – માધાપર – કચ્છ રહ્યા હતા. તેમ પત્રકાર યશપાલ વ્યાસ ની યાદીમાં જણાવેલ છે.
સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા દ્વારા ફ્રી નેત્ર નિદાન- સારવાર કેમ્પ યોજાયો.

Recent Comments