સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામના ખેડૂતો દ્વારા પાણી પુરવઠા યોજના અંતર્ગત ચાલતા કામમાં રૂકાવટ લાવતા આ પ્રશ્નની જાણ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી જીતુભાઈ કાછડીયા ને થતા તેઓએ સાવરકુંડલા વિસ્તારના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાની સૂચના અને માર્ગદર્શન નીચે ખેડૂતોને તથા અધિકારીઓને સાથે રાખી સ્થળ ઉપર સમજાવટ કરી અને આ પ્રશ્નનું સુખદ સમાધાન કરાવી વિકાસના કામને આગળ વધારવાનો પ્રયાસ કરવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે અને આ પ્રશ્નના નિકાલથી લોકોમાં ગેરસમજ જે હતી તે દૂર કરાવી ખેડૂતોને થતા પાકના નુકસાનનો નિયમો મુજબ વળતર સહાય મળે તેવી અધિકારીઓ તરફથી પણ સંમતિ આપતા આ પ્રશ્નનું સુખદ સમાધાન કરવામાં આવેલ છે આ કાર્યવાહીમાં તાલુકા પંચાયત સાવરકુંડલાના પ્રમુખશ્રી જીતુભાઈ કાછડીયા તથા સાવરકુંડલા તાલુકાના સરપંચ એસોસિએશનના પ્રમુખશ્રી હિતેશભાઈ ખાત્રાણી તથા ખેડૂતો અને ગામ આગેવાનો સાથે પાણી પુરવઠાના અધિકારીઓ પણ હાજર રહેલ હતા.
સાવરકુંડલા ગાધકડા તેમજ ગણેશગઢ ગામના ખેડૂતોના પ્રશ્નોનું સુખદ સમાધાન કરાવતા તાલુકા પંચાયત પ્રમુખ કાછડીયા

Recent Comments