તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને મંગળવારે ‘ઉંગાલુદન સ્ટાલિન‘ નામના આઉટરીચ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો, જેનો હેતુ સરકારી સેવાઓ લોકો સુધી પહોંચાડવાનો અને તેમના પડોશમાં ખાસ શિબિરોનું આયોજન કરીને ફરિયાદોનું નિવારણ કરવાનો છે.
સ્ટાલિને અહીંના એક શિબિરમાં વિનંતી કરનાર એક દિવ્યાંગ પુરુષને શ્રવણ ઉપકરણ, એક મહિલા લાભાર્થીને મુખ્યમંત્રીની વ્યાપક આરોગ્ય વીમા યોજના હેઠળ તબીબી વીમો અને એક રહેવાસીને વીજળી જાેડાણ ‘નામ બદલો‘ લાગુ કરવાનો આદેશ આપ્યો.
રાજ્ય સરકારે એક સત્તાવાર પ્રકાશનમાં જણાવ્યું હતું કે, આઉટરીચ પહેલ શરૂ થયાના એક કલાકની અંદર લાભાર્થીઓને તેમની માંગણી મુજબની સેવાઓ મળી ગઈ.
મુખ્યમંત્રીએ શિબિરમાં ભાગ લેનારા લોકો પાસેથી અરજીઓ મેળવી, અરજીઓની નોંધણી અને પ્રદર્શન હોલનું પણ નિરીક્ષણ કર્યું. એક્સ્પોમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ સહિત વિવિધ સરકારી વિભાગોની યોજનાઓ દર્શાવવામાં આવી હતી.
સ્ટાલિને જાહેરાત કરી હતી કે ૧૫ જુલાઈથી નવેમ્બર સુધી ફરિયાદોના નિવારણ માટે ૧૦,૦૦૦ શિબિરોનું આયોજન કરવામાં આવશે.
આ લોકાર્પણ કાર્યક્રમમાં કે.એન. નેહરુ, ઇવી વેલુ, એમઆરકે પન્નીરસેલ્વમ સહિતના મંત્રીઓ, લોકસભા સાંસદ થોલ તિરુમાવલવન સહિતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ઉચ્ચ સરકારી અધિકારીઓએ ભાગ લીધો હતો.
તમિલનાડુના મુખ્યમંત્રીએ આઉટરીચ સ્કીમ ‘Ungaludan Stalin ‘ લોન્ચ કરી

Recent Comments