રાષ્ટ્રીય

તેલંગાણાના ભાજપ ધારાસભ્ય ટી. રાજા સિંહે ‘નેતૃત્વના સંઘર્ષ‘ વચ્ચે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું

તેલંગાણા ભારતીય જનતા પાર્ટી (મ્ત્નઁ) ના ધારાસભ્ય ટી રાજા સિંહે સોમવારે પાર્ટીના તેલંગાણા એકમમાં નેતૃત્વના સંઘર્ષ વચ્ચે પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું.
એન રામચંદ્ર રાવ ભાજપના તેલંગાણા એકમના નવા પ્રમુખ બનશે એવા મીડિયા રિપોર્ટ્સમાં સંકેત મળ્યા બાદ તરત જ આ ર્નિણય લેવામાં આવ્યો હતો તેમ મીડિયા સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
ભાજપના ધારાસભ્યએ તેલંગાણા એકમના પ્રમુખ જી. કિશન રેડ્ડીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે રામચંદ્ર રાવને ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કરવાનો ર્નિણય તેમના માટે ‘આઘાત અને નિરાશા‘ સમાન હતો.
“મીડિયા અહેવાલો મુજબ, શ્રી રામચંદ્ર રાવને તેલંગાણા માટે નવા ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવનાર છે. આ ર્નિણય ફક્ત મારા માટે જ નહીં, પરંતુ લાખો કાર્યકર્તાઓ, નેતાઓ અને મતદારો માટે આઘાત અને નિરાશા સમાન છે, જેમણે દરેક ઉચ્ચ અને નીચલા સ્તરે પક્ષની સાથે ઉભા રહ્યા છે,” સિંહે ઠ (અગાઉ ટ્વિટર) પર શેર કરેલા પત્રમાં જણાવ્યું હતું.
“આપણા રાજ્યમાં ઘણા સક્ષમ વરિષ્ઠ નેતાઓ, ધારાસભ્યો અને સાંસદો છે જેમણે ભાજપના વિકાસ માટે અથાક મહેનત કરી છે અને જેમની પાસે પાર્ટીને આગળ વધારવા માટે તાકાત, વિશ્વસનીયતા અને જાેડાણ છે,” તેમણે ઉમેર્યું.

ગોશામહલ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય, ઠાકુર રાજા સિંહ, તેમના વિવાદાસ્પદ ભાષણો માટે જાણીતા છે અને વારંવાર ફોજદારી કેસોનો સામનો કરી ચૂક્યા છે.

Related Posts