રાષ્ટ્રીય

તેલંગાણા સરકારે અનુસૂચિત જાતિ (જીઝ્ર) નું પેટા વર્ગીકરણ લાગુ કર્યું

સુપ્રીમ કોર્ટે આ અંગે રાજ્યોને પગલાં લેવા જણાવ્યું હતું; તેલંગાણા આ પગલું ભરનાર બીજું રાજ્ય બન્યુ
તેલંગાણા સરકારે એક મોટું પગલું ભર્યું છે જેમાં હવે અનુસૂચિત જાતિ (જીઝ્ર) નું પેટા-વર્ગીકરણ લાગુ કરવામાં આવ્યું છે જેથી હવે આ શ્રેણીમાં આવતા લોકોને પણ અનામતનો લાભ મળી શકશે. આ મહત્વપૂર્ણ ર્નિણયની જાહેરાત સિંચાઈ મંત્રી એન. ઉત્તમ કુમાર રેડ્ડીએ કરી હતી.
સરકારે પહેલાથી જ ન્યાયાધીશ શમીમ અખ્તરની અધ્યક્ષતામાં એક કમિશનની રચના કરી હતી, જેણે અનુસૂચિત જાતિઓને ત્રણ મુખ્ય જૂથો – ૈં, ૈંૈં અને ૈંૈંૈં માં વિભાજીત કરવાની ભલામણ કરી હતી. આ પેટા-વર્ગીકરણના અમલીકરણ સાથે, પેટા-વર્ગ હેઠળ આવતા લોકોને હવે સરકારી નોકરીઓ અને શિક્ષણ ક્ષેત્રમાં ૧૫ ટકા અનામતનો લાભ મળશે.
કમિશનની ભલામણોનો અમલ કરીને, તેલંગાણા વિધાનસભાએ પેટા-વર્ગીકરણ કાયદો પસાર કર્યો, જેને ૮ એપ્રિલ ૨૦૨૫ ના રોજ રાજ્યપાલની સંમતિ મળી. આ કાયદો ૧૪ એપ્રિલ ૨૦૨૫ ના રોજ તેલંગાણા ગેઝેટમાં પ્રકાશિત થયો છે.
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે, હરિયાણા સરકારે નવેમ્બરમાં પણ અનુસૂચિત જાતિ પેટા-વર્ગીકરણ લાગુ કર્યું હતું. વિધાનસભામાં આ ર્નિણયની જાહેરાત કરતા મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના ર્નિણય મુજબ આ કરવામાં આવ્યું છે. પેટા-વર્ગીકરણના અમલીકરણ અંગે, મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ જણાવ્યું હતું કે દલિતોના તમામ વર્ગો માટે સશક્તિકરણ અને તકો સુનિશ્ચિત કરવા માટે, રાજ્ય સરકારે એક ગેઝેટ સૂચના બહાર પાડી હતી, જેની પ્રથમ નકલ તેમને ઐતિહાસિક કાર્ય કરતી સમિતિ દ્વારા સોંપવામાં આવી હતી.

Related Posts