ઈરાનમાં ડઝનબંધ લોકોના ભયાનક અને જીવલેણ ઇઝરાયલી હુમલા બાદ, શનિવાર, ૧૪ જૂનના રોજ ઈરાને ઈઝરાયલ પર બેલિસ્ટિક મિસાઈલોનો મારો કરીને બદલો લીધો. વિસ્ફોટોથી જેરુસલેમ અને તેલ અવીવનું આકાશ ચમક્યું, ઇમારતો હચમચી ગઈ અને નાગરિકો આશ્રય માટે ભાગી ગયા.
શનિવારે વહેલી સવારે, ઈરાની મિસાઈલ હુમલાના બીજા રાઉન્ડને કારણે જેરુસલેમમાં હવાઈ હુમલાના સાયરન વાગવા લાગ્યા, કારણ કે ઇઝરાયલી ઇન્ટરસેપ્ટર્સ તરફથી આવતા મોટા અવાજો રાજધાનીમાં ગુંજી ઉઠ્યા. ઘટનાસ્થળે હાજર એસોસિએટેડ પ્રેસના પત્રકારોના જણાવ્યા અનુસાર, તેલ અવીવમાં ઓછામાં ઓછી બે ઈરાની મિસાઈલો જમીન પર અથડાઈ હતી.
ઇઝરાયલની ફાયર એન્ડ રેસ્ક્યુ સવિર્સે પુષ્ટિ આપી છે કે તેલ અવીવમાં એક ઇમારત પર હુમલો થયો હતો, જેમાં સાત લોકો ઘાયલ થયા હતા. કાટમાળ નીચે ફસાયા બાદ એક મહિલાની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. તેલ અવીવની એક હોસ્પિટલમાં ઘાયલોની સારવાર કરવામાં આવી હતી, જેમાંથી છને સામાન્ય ઇજાઓ થઈ હતી. ઇઝરાયલી મીડિયાએ જણાવ્યું હતું કે હુમલામાં ત્રણ લોકો માર્યા ગયા હતા.
ઇઝરાયલની પેરામેડિક સેવાઓએ જણાવ્યું હતું કે, તેલ અવીવ વિસ્તારમાં રોકેટ હુમલામાં ૩૪ લોકો ઘાયલ થયા હતા, જેમાં કાટમાળ નીચે ફસાયા બાદ એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી.
ઇઝરાયલમાં, તેલ અવીવની પૂર્વમાં આવેલા રામત ગાન શહેરમાં ભારે નુકસાન થયું હતું. મીડિયા સૂત્રો દ્વારા હુમલા બાદ વિનાશના દ્રશ્યોનું વર્ણન કર્યું, જેમાં બળી ગયેલા વાહનો અને ભારે નુકસાન પામેલા ઘરો હતા. એક ઘરનો આગળનો ભાગ લગભગ સંપૂર્ણપણે નાશ પામ્યો હતો.
ૈંડ્ઢહ્લ: વધુ ઈરાની ડ્રોન ઇઝરાયલ તરફ રવાના થયા
ઇઝરાયલ સંરક્ષણ દળો (ૈંડ્ઢહ્લ) એ શનિવારે ઇઝરાયલ તરફ જતા વધારાના ઈરાની ડ્રોન શોધી કાઢ્યા હોવાનો અહેવાલ આપ્યો હતો. ઈરાનથી આ યુએવી લોન્ચ થયા બાદ દેશભરના અનેક વિસ્તારોમાં સાયરન વગાડવામાં આવ્યા હતા.
તેહરાનમાં આગ અને વિસ્ફોટોથી હચમચી ઉઠ્યા
આ દરમિયાન, ઈરાની શહેરોમાં પણ અશાંતિ જોવા મળી હતી. મધ્ય તેહરાનમાં હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ સક્રિય કરવામાં આવી હતી, અને મધ્યરાત્રિ પછી તરત જ સાયરન વાગ્યા હતા. ઈરાનની અર્ધ-સત્તાવાર તસ્નીમ સમાચાર એજન્સીના અહેવાલો દર્શાવે છે કે મેહરાબાદ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર આગ લાગી હતી, જેમાં નાટકીય ફૂટેજમાં જ્વાળાઓ અને સ્થળ પરથી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.
એક કડક શબ્દોમાં નિવેદનમાં, ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીએ જાહેર કર્યું: “અમે તેમને આ મહાન ગુનામાંથી સુરક્ષિત રીતે છટકી જવા દઈશું નહીં.”
આ ઘટનાક્રમ દરમિયાન ઈરાનના યુએન રાજદૂતે જણાવ્યું હતું કે, ઇઝરાયલી હુમલાઓમાં ૭૮ લોકો માર્યા ગયા હતા અને ૩૨૦ થી વધુ ઘાયલ થયા હતા, જેમાં વરિષ્ઠ લશ્કરી અધિકારીઓ અને પરમાણુ વૈજ્ઞાનિકોનો સમાવેશ થાય છે.
નેતન્યાહૂએ ઓપરેશન ડોન ઓફ ધ લાયન્સ દરમિયાન ઈરાનના લોકોને સંબોધિત કર્યા
આ દરમિયાન, ઈરાની લોકોને બોલાવતા, ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ઠ માં એક પોસ્ટમાં તેમને સંબોધિત કર્યા. તેમણે કહ્યું, “આજે રાત્રે, હું તમારી સાથે વાત કરવા માંગુ છું, ઈરાનના આદરણીય લોકો. અમે ઇતિહાસના સૌથી મોટા લશ્કરી કાર્યવાહીમાંના એક ઓપરેશન ડોન ઓફ ધ લાયન્સ વચ્ચે છીએ. લગભગ ૫૦ વર્ષથી તમારા પર જુલમ કરનાર ઇસ્લામિક શાસન આપણા દેશ – ઇઝરાયલ – ને નષ્ટ કરવાની ધમકી આપે છે.”
“ઇઝરાયલના ઓપરેશનનો ધ્યેય ઇસ્લામિક શાસનના પરમાણુ અને બેલિસ્ટિક મિસાઇલ જોખમોને રોકવાનો છે. જ્યારે અમે અમારું લક્ષ્ય પ્રાપ્ત કરીએ છીએ, ત્યારે અમે તમારા માટે તમારી સ્વતંત્રતા પ્રાપ્ત કરવાનો માર્ગ પણ મોકળો કરીએ છીએ,” તેમણે ઉમેર્યું.
મધ્ય પૂર્વમાં તણાવ વધ્યો; ઈરાને જવાબી હુમલાઓ કર્યા, વિસ્ફોટોથી ઈઝરાયલ હચમચી ગયું, ૫ થી વધુના મોત

Recent Comments