રાષ્ટ્રીય

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં બસ પર આતંકી હુમલોઃ૪નાં મોત, ૩૨થી વધુ ઘાયલ

શનિવારે બલૂચિસ્તાન લિબરેશન આર્મી (મ્ન્છ)ના આતંકીઓએ પાકિસ્તાનના પશ્ચિમી પ્રાંત બલૂચિસ્તાનના તુર્બત શહેરમાં એક બસમાં બ્લાસ્ટ કર્યો હતો. જેમાં ૪ લોકોનાં મોત થયા છે. આ સિવાય ૩૨ અન્ય ઘાયલ છે. આ ઘાયલોમાંથી ૫ની હાલત ગંભીર છે. હુમલામાં જીજીઁ રેન્કના વરિષ્ઠ પોલીસ અધિકારી અને તેમનો પરિવાર પણ ઘાયલ થયો હતો. પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે બળવાખોરોએ એસએસપીને નિશાન બનાવવાના ઈરાદે બસ પર હુમલો કર્યો હતો. હાલ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. હુમલા બાદ મ્ન્છના પ્રવક્તાએ એક વીડિયો જાહેર કર્યો અને હુમલાની જવાબદારી સ્વીકારી. અગાઉ ગયા મહિને પણ અહીં બોમ્બ વિસ્ફોટમાં બે લોકોનાં મોત થયા હતા. શનિવારે પાકિસ્તાનના પેશાવરના તહકલ વિસ્તારમાં બે જૂથો વચ્ચે ગોળીબારમાં ૫ લોકોનાં મોત થયા હતા.

આ સિવાય ૬ અન્ય લોકો પણ ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર આ મામલો પરસ્પર અદાવતનો છે. સ્થળ પર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જે લોકો ફરાર છે તેમની શોધખોળ કરવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, એક પક્ષ લગ્ન સમારોહમાંથી પરત ફરી રહ્યો હતો ત્યારે તેઓનો સામનો બીજી પાર્ટી સાથે થયો હતો, ત્યારબાદ બંને પક્ષો વચ્ચે ગોળીબાર થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, બંને પક્ષો વચ્ચે અગાઉ ઝઘડો ચાલતો હતો. આ મામલો પ્રોપર્ટી અને જૂના હત્યા કેસ સાથે જાેડાયેલો છે. હાલ પોલીસ આ મામલાની તપાસમાં વ્યસ્ત છે. હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. ૨૧ ડિસેમ્બરે આતંકવાદીઓએ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આર્મી પોસ્ટ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ૧૬ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા. આ હુમલો અફઘાનિસ્તાન બોર્ડરથી ૪૦ કિમી દૂર માકિનમાં થયો હતો. ન્યૂઝ એજન્સીએ સેનાના એક અધિકારીને ટાંકીને જણાવ્યું કે લગભગ ૨ કલાક સુધી ૩૦થી વધુ આતંકીઓએ આર્મી પોસ્ટ પર હુમલો કર્યો. આ દરમિયાન આતંકવાદીઓએ પોસ્ટ પર હાજર વાયરલેસ સાધનો અને દસ્તાવેજાે સહિત ઘણી વસ્તુઓને આગ ચાંપી દીધી હતી. આ પછી તમામ લોકો સ્થળ પરથી ભાગી ગયા હતા. આ હુમલાની જવાબદારી તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન એટલે કે ્‌્‌ઁના આતંકવાદીઓએ લીધી હતી.

Follow Me:

Related Posts