રાષ્ટ્રીય

પાકિસ્તાનના ક્વેટાથી તાફ્તાન જતા સૈન્યા કાફલા પર આતંકી હુમલો; ૭ સૈનિકોના મોત, ૨૧ ઇજાગ્રસ્ત

પાકિસ્તાનમાં આતંકી દ્વારા ક્વેટાથી તાફ્તાન જતા સૈન્યા કાફલા પર મોટો હુમલો કરાયો હતો જેમાં, ૭ સૈનિકોના મોત થયા હતા અને ૨૧ ઇજાગ્રસ્ત થયા હતા, જ્યારે બલૂચ લિબરેશન આર્મી (મ્ન્છ) દ્વારા ૯૦ પાકિસ્તાની સૈનિકોને મોતને ઘાટ ઉતારી દીધાનો દાવો કરાયો છે.

આ મામલે બલૂચ લિબરેશન આર્મીએ પાકિસ્તાની સૈન્યના કાફલા પર થયેલા આ હુમલાની જવાબદારી સ્વીકારી લીધી છે. હુમલો ક્વેટાથી ૧૫૦ કિ.મી. દૂર નોશકીમાં થયો હતો. આ હુમલા બાદ સૈન્યએ વિસ્તારમાં હેલિકોપ્ટર અને ડ્રોન તહેનાત કરવાની ફરજ પડી હતી. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ મ્ન્છ દ્વારા પાકિસ્તાનની જાફર એક્સપ્રેસને હાઈજેક કરી લીધી હતી અને આ ઘટનામાં અનેક દિવસોના ઘટનાક્રમ બાદ મ્ન્છ દ્વારા ૨૧૪ થી વધુ પાકિસ્તાની સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા હતાં.

તાજેતરના હુમલામાં પાકિસ્તાની સૈન્યના કાફલામાં કુલ ૮ બસ સામેલ હતી જેમાંથી એક બસમાં વિસ્ફોટ કરવામાં આવ્યો હોવાની જાણકારી મળી રહી છે. ત્યારબાદ કાફલાની બીજી એક બસને પણ બીએલએના બળવાખોરો દ્વારા ઘેરી લેવામાં આવી હતી અને તેમાં સવાર તમામ સૈનિકોને મોતને ઘાટ ઉતારી દીધાનો દાવો કરાયો હતો. બીએલએનો દાવો છે કે તેમણે અત્યાર સુધી કુલ ૯૦ પાકિસ્તાની સૈનિકોને મોતને ઘાટ ઉતારી દીધા છે.

Follow Me:

Related Posts