મુંબઈ હુમલાના આતંકી તહવ્વુર રાણાને ટૂંક સમયમાં ભારત લાવવામાં આવશે. ૨૬/૧૧ના હુમલામાં સામેલ રાણાના પ્રત્યાર્પણ માટે અમેરિકાએ લીલી ઝંડી આપી દીધી છે. આને અમેરિકન કોર્ટમાં ભારતની મોટી જીત તરીકે જાેવામાં આવે છે. ઓગસ્ટ ૨૦૨૪ માં, યુએસ કોર્ટે રાણાને ભારત-યુએસ પ્રત્યાર્પણ સંધિ હેઠળ ભારત મોકલવાનો આદેશ આપ્યો હતો, ત્યારબાદ હવે તેને ભારત પરત લાવવામાં આવી રહ્યો છે. ભારતની પ્રત્યાર્પણ ઝુંબેશને વધુ તીવ્ર બનાવતા, અમેરિકી કોર્ટના ર્નિણય બાદ ભારતે રાણાને સોંપવાની પ્રક્રિયા ઝડપી બનાવી હતી. આ કેસમાં રાણા પર ડેવિડ હેડલીને મદદ કરવાનો ગંભીર આરોપ છે. તહવ્વુર રાણાએ મુંબઈમાં હુમલાના માસ્ટરમાઇન્ડ ડેવિડ કોલમેન હેડલીને ટાર્ગેટ મેળવવામાં મદદ કરી હતી. ભારતને ૨૬/૧૧ના હુમલામાં ટાર્ગેટ શોધવાના પુરાવા મળ્યા છે.
ભારતે અમેરિકન કોર્ટમાં આના મજબૂત પુરાવા રજૂ કર્યા છે. આમાં રાણાની વધુ સંડોવણી હોવાના પુરાવા મળ્યા છે. નોન હ્વૈજ ૈઙ્ઘીદ્બ ના અપવાદ અમેરિકન અદાલતોમાં લાગુ થશે નહીં. અમેરિકન કોર્ટે સ્વીકાર્યું કે ભારતમાં રાણા સામેના આરોપો અલગ છે, તેથી આ નિયમ તેના પર લાગુ થશે નહીં. અમેરિકન કોર્ટમાં તમામ પુરાવા રજૂ કર્યા બાદ રાણાની અરજી ફગાવી દેવામાં આવી છે. રાણાએ પ્રત્યાર્પણ રોકવા માટે હેબિયસ કોર્પસ દાખલ કર્યો હતો, જેને યુએસ કોર્ટે ફગાવી દીધો હતો. ૨૦૦૯માં રાણાની અમેરિકાના શિકાગો શહેરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. હ્લમ્ૈંએ તેને પાકિસ્તાન સમર્થિત નેટવર્કનો ભાગ હોવાના આરોપમાં હુમલાના એક વર્ષ પછી પકડ્યો હતો. રાણા પર આઈએસઆઈ અને લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હોવાનો પણ આરોપ છે. પુરાવા મુજબ રાણા પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ૈંજીૈં અને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનો ઓપરેટિવ હોવાનું કહેવાય છે.
Recent Comments