ગારિયાધાર પંથક સહિત ગુજરાત ભર ના સંત સમાજ નુ ગૌરવ એવા વાલમધામ ગારિયાધારનાં પ .પૂ. સંત શ્રી વાલમરામ બાપાની ૧૩૯ મી નિર્વાણ તિથિ ખૂબ જ દિવ્ય અને ભવ્ય રીતે સંપૂર્ણ ધાર્મિક વાતાવરણના ઉલ્લાસ સાથે ઉજવવામાં આવી હતી ! વાલમધામ નગર સુશોભન – ધજા આરોહણ – પૂજન – મહા આરતી – શોભા યાત્રા – ભોજન પ્રસાદ અને રાત્રિના ભવ્ય સંતવાણી લોકડાયરાનું આયોજન કરાયુ હતુ . સુરત સહિતથી ભાવિક ભક્તજનોની ભીડ ઉમટી હતી . સંતવાણીમા લલિતા ઘોડાદ્રા – બીરજુ બારોટ અને પોપટ માલધારી વગેરેએ વિશાળ માનવ મેદનીને રસ તરબોળ કર્યા હતા આજે સમગ્ર ગારીયાધાર પંથક માં મોટી સંખ્યા માં શ્રધ્ધાળુ ભાવિકો ની વિશાળ ઉપસ્થિતિ માં શોભાયાત્રા શહેર ના મુખ્ય રાજ માર્ગો ઉપર ધ્યાનાકર્ષક રીતે ફરી હતી
વાલમધામ ગારિયાધારનાં પ .પૂ. સંત શ્રી વાલમરામ બાપાની ૧૩૯ મી નિર્વાણ તિથિ ઉજવાય

Recent Comments