સાવરકુંડલા શહેરના વતની અને ભારતીય સેના આર્મીમાં જુનિયર કમિશન ઓફિસર યોગેશ બળવંતરાય જાની દેશના જુદા જુદા રાજ્યો અને સરહદો ની 22 વર્ષ સુધી રક્ષા કરીને વય મર્યાદા થી નિવૃત્ત થઈ પોતાના ઘરે સાવરકુંડલા પરત ફરતા અમરેલી જિલ્લા કોંગ્રેસ પરિવાર દ્વારા તેમની રાષ્ટ્ર સેવા બદલ ફુલહાર, શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને સાવરકુંડલા લીલીયા વિધાનસભા ના પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત, અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ હસુભાઈ સૂચક, જિલ્લા કોંગ્રેસ મહામંત્રી મહામંત્રી મહેશભાઈ જ્યાણી, સાવરકુંડલા નગરપાલિકા ના સદ્સ્ય હસુભાઈ બગડા, પૂર્વ સદસ્ય હિતેષભાઈ સરૈયા, ભુપતભાઈ ચુડાસમા, નગર પાલિકા પૂર્વ પ્રમુખ વિપુલભાઈ ઉનાવા, સાવરકુંડલા તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન અશ્વિનભાઇ ધામેલીયા, અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ હાર્દીકભાઈ કાનાણી, સાવરકુંડલા શહેર કોંગ્રેસ મહામંત્રી હિતેષભાઇ જયાણી, કોંગ્રેસ અગ્રણી પ્રવીણભાઈ ચુડાસમા વગેરે કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા આર્મી ઓફિસર યોગેશભાઈ જાની નું ફુલહાર અને શાલ ઓઢાડી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમ પત્રકાર યશપાલ વ્યાસ ની યાદીમાં જણાવેલ છે.
સાવરકુંડલાના યુવાન ઓર્ડીનરી સુબેદાર માંથી નિવૃત થતા અમરેલી જિલ્લા કોંગ્રેસ પરિવાર દ્વારા ભવ્ય સ્વાગત કરીને શુભેચ્છા પાઠવી

Recent Comments