અમરેલી

સાવરકુંડલા શહેરમાં આવેલ નાગનાથ સોસાયટી ખાતે આવેલ બાળ આંગણવાડી કેન્દ્ર એટલે શિશુ સંવર્ધન માટે આદર્શ પ્લેટફોર્મ

બાળ આંગણવાડી એટલે શિશુ ઉછેરનું ખૂબ મહત્ત્વનું કેન્દ્ર

અહીં બાળક પોતાના વિસ્તારના નાના ભૂલકાઓ સાથે રમતાં હળતાં મળતાં શીખે છે. સરકારશ્રીની આ યોજના ભારતીય શિશુના માનસિક, શારીરિક અને બૌદ્ધિક વિકાસ સાથે એક તંદુરસ્ત વિચારધારા સાથે જીવનના ખૂબ જ મહત્વપૂર્ણ પ્રથમ પગથિયા પસાર કરે છે. અહીં શિશુની માવજત માતૃતુલ્ય ભાવથી કરવામાં આવે છે. એકાદ બે દિવસ કદાચ બાળકને થોડો સંકોચ થાય પરંતુ પછી અહીંથી જ પોતાના મિત્રો બનાવી પોતાને ગમતીલી રમતો પ્રવૃત્તિઓ સાથે શૈક્ષણિક ક્ષેત્રે આગળ કેમ વધાય તેની પૂર્વ ભૂમિકા કે પૃષ્ઠભૂમિ સર્જાય છે. આમ બાળ આંગણવાડી એ માત્ર શિશુ માટે જ નહી પરંતુ વાલી વર્ગ માટે ટોનિકની ગરજ સારે છે સરકારશ્રીની આ યોજના બાળ સંવર્ધન માટે ખરેખર ખૂબ આશીર્વાદ સમાન છે. એક સ્વસ્થ સમાજનું નિર્માણ આવા બાળ ઉછેર કેન્દ્ર બાળ આંગણવાડી દ્વારા થાય છે એ જ વાલી વર્ગ માટે ખરેખર ખૂબ મહત્વપૂર્ણ બાબત ગણાય.

Related Posts