ઉમરાળા સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જી.ભાવનગ૨) નાં સેવાકાર્યથી પ્રભાવિત નાના ઉમરડા (તા.ગઢડા) નાં વતની અમેરીકા સ્થિત શ્રી હિરજીભાઈ ઝવેરભાઈ વાઘાણી (દંપતી) એ તેઓશ્રીનાં અવસાન બાદ કોઇપણ વિધીવિધાન નહી ક૨વાનાં સંકલ્પ સાથે તા.૨૩.૧૦.૨૫ નાં રોજ દર્દીનારાયણ સારવાર અર્થે સહભાગી થવાનાં શુભાશયથી રૂા.૧૦,૦૦,૧૧૧/- અંકે રૂપિયા દસ લાખ એકસો અગીયાર પુરાનું અનુદાન અર્પણ કરીને એક પ્રેરણાદાયી કાર્ય કરેલ છે. તેઓશ્રીઓનું ઉપપ્રમુખ-બી.એલ.રાજપરા દ્વારા સદ્ગુરૂદેવનાં ‘જીવનચરિતામૃત’ ગ્રંથ અને શાલ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવેલ.હોસ્પિટલ ટ્રસ્ટીમંડળે શ્રી હિરજીભાઈ ઝવેરભાઈ વાઘાણી તથા તેમનાં પરીવારજનોનો હદયપૂર્વકનો આભાર વ્યક્ત કરેલ છે.
“વૃદ્ધ દંપતી એ પોતા ના અવસાન બાદ કોઈપણ વિધિ વિધાન નહિ કરવાનો સંકલ્પ” સાથે સ્વામી શ્રી નિર્દોષાનંદ હોસ્પિટલ ને વાધાણી પરિવાર દ્વારા દસ લાખ નું દાન અર્પણ કર્યું


















Recent Comments