સામાજિક રીતે પરસ્પર ને ઉપયોગી થતા રહેવાની પ્રથમ કેળવણી હળવો શ્રમ યજ્ઞ છે
ભાવનગર સામાજિક રીતે પરસ્પર ને ઉપયોગી થતા રહેવાની પ્રથમ કેળવણી શ્રમ યજ્ઞ છે. બાલમંદિર થી બાળકોમાં આ સંસ્કાર રોપવામાં આવે છે તો વ્યક્તિ જીવનભર સ્વસ્થ નાગરિક તરીકે માનવ જાતને ઉપયોગી થતી રહે છે. શિશુવિહાર બાલમંદિર થી બાળકો ને હળવા શ્રમકાર્ય સાથે જોડીને સામાજિક મૂલ્ય ના પાઠ આપવામાં આવે છે. શિયાળાની ઋતુમાં આછા તડકા છાયા નીચે બાળકો એ આજે શિક્ષકો સાથે શ્રમ યજ્ઞ ની મજા માણી હતી.
Recent Comments