અમરેલી

શ્રી સુખનાથ મંદિર ચોક યુવક મંડળ આયોજિત ભાગવત કથાનો ચોથો દિવસ ભવ્ય રીતે યોજાયો

શ્રી સુખનાથ મંદિર ચોક યુવક મંડળ દ્વારા આયોજિત શ્રીમદ
ભાગવત સપ્તાહના ચોથા દિવસે યુવા ભાગવતાચાર્ય શ્રી કૌશિક દાદાએ ભાવસભર કથા
ગાન દ્વારા શુભારંભ કર્યો હતો. આજના દિવસે શ્રી રામ જન્મોત્સવ, શ્રીકૃષ્ણ જન્મોત્સવ
તથા વામન અવતાર જેવા પાવન પ્રસંગોની ભક્તિમય વિગત સાથે કથા આગળ વધારવામાં
આવી હતી.

રાત્રે સાહિત્ય અને સાંસ્કૃતિક સમારંભ યોજાયો જેમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતના
જાણીતા ડાયરાના કલાકાર શ્રી અરવિંદભાઈ બારોટ તથા હાસ્ય કલાકાર શ્રી સુખદેવભાઈ
ધામેલીયાએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો અને શ્રોતાઓનું હ્રદય જીત્યું.

આજના પ્રસંગે વિશિષ્ટ મહેમાનો તરીકે ઉપસ્થિત રહેલા મહાનુભાવોમાં
કૌશિકભાઈ વેકરીયા, પ્રદેશ યુવા મોરચા પ્રમુખ શ્રી પ્રશાંતભાઈ કોરાટ, અમરેલીના પૂર્વ
સાંસદ શ્રી વીરજીભાઈ ઠુંમર, પ્રતાપભાઈ દુધાત, ભાવેશભાઈ રાદડિયા, બાબુભાઈ
જેબલિયા, મનસુખભાઈ ભુવા, પીપી સોજીત્રા, ડો. વિરેન્દ્રભાઈ ધાખડા, ચેતનભાઈ
શિયાળ, કાળુભાઈ વિરાણી, શરદભાઈ લાખાણી, સુરેશભાઈ ગોધાણી, ધીરુભાઈ રૂપાલા,
મૃગેશભાઈ કોટડીયા, હરિબાપ સાંગાણી, જીગ્નેશભાઈ પટેલ, જયેશભાઈ નાકરાણી,ડી કે
રૈયાણી, કાંતિભાઈ વઘાસિયા કાળુભાઈ ભંડેરી, કાળુભાઈ કાછડીયા પીઠાભાઇ નકુમ,
મગનભાઈ ભાદાણી, દિનેશભાઈ સાવલિયા,લલિતભાઈ ઠુંમર,સંદીપભાઈ ભટ્ટ,
સંદીપભાઈ ધાનાણી ભીખુભાઈ કાબરીયા, મૂલાનીસાહેબ, તથા અમરેલી જિલા લેઉવા
પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ , હરજીભાઈ નારોલા, જેસિંગપરા માંગરોળિયા પરિવાર,વિશાલભાઈ
રાદડિયા, બાવકુભાઈ વાળા, ગાયત્રી શક્તિ પીઠ માંથી હિરેનભાઈ ચાવડા, ભાર્ગવભાઈ
ત્રિવેદી, રાજભાઈ જાની મહાવીર વસ્ત્ર ભંડાર,ભાવનાબેન સતાસિયા, જયાબેન વજુભાઈ
રામાણી, રેખાબેન માવદીયા, જયાબેન ચાવડા, સંગીતાબેન જોશી, તેમજ રાજકીય –

સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેલ ..સહિત અનેક રાજકીય અને સામાજિક આગેવાનો
ઉપસ્થિત રહ્યા. તથા શહેરના અગ્રણીઓ, મહિલા આગેવાનો અને ભક્તજનોએ પોતાની
ઉપસ્થિતિ નોંધાવી.
શ્રીમદ ભાગવત કથા દરમ્યાન માનનીય શ્રી દિલીપભાઈ સંઘાણી, અશ્વિનભાઈ સાવલિયા,
જયંતીભાઈ પાનસુરીયા, સુખનાથ મંદિર ચોક યુવક મંડળ , મુકેશભાઈ સંઘાણી, મનીષભાઈ
સંઘાણી, ડેનીભાઈ રામાણી, ચંદુભાઈ રામાણી , ધાર્મિકભાઈ રામાણી, તેમજ યુવક મંડળ
ના સભ્યો સતત ઉપસ્થિત રહેલ કથા દરમ્યાન સંચાલન જયદીપભાઈ કાબરીયા એ કરેલ.

Related Posts