અમરેલી

ગ્રામ વિકાસ માં નારોલા પરિવાર ની ઉદાર સખાવત શાખપુર તળાવ ના પાળા ઉપર ટી ગાર્ડ સાથે વૃક્ષારોપણ નું કાર્ય કરાશે

દામનગર  શાખપુર તળાવ ના પાળા ઉપર નારોલા પરિવાર દ્વારા વૃક્ષારોપણનું કાર્ય કરાશે શાખપુર ગામે તળાવના પાળા ઉપર પિંજરા સાથે ધીરુભાઈ નારોલા પરિવાર નાની વાવડી દ્વારા વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરાશે જેમાં શાખપુરના સર્વાંગી વિકાસ માટે અને કુદરતી સૌંદર્ય વધારો થાય અને પશુ પક્ષીઓ અને માણસ માટે આવનારા સમયની અંદર વૃક્ષ ખૂબ ઉપયોગી થાય એવા શુભ હેતુથી આ વિસ્તારની અંદર ગારીયાધાર થી નાની વાવડી થી શાખપુર વગડીયા હનુમાનજી સુધી તેમજ શાખપુર ખોડિયાર મંદિર સુધી અને હવે તળાવની પાળ ઉપર વૃક્ષોનું વાવેતર નારોલા પરિવાર દ્વારા કરાશે જેને આજુબાજુના ગ્રામજનો શાખપુર સરપંચ જશુભાઈ ખુમાણ દ્વારા ધીરુભાઈ નારોલાને અને પરોપકારી કામગીરી કરવા બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી શાખપુર વિકાસના કાર્યમાં એક વધારા ની કલગી ઉમેરાશે તેમ સ્થાનિક સરપંચ ખુમાણે જણાવ્યું હતું

Related Posts