ભાવનગર

શ્રી વિવેકાનંદ વિદ્યામંદિર- દિહોર ના વિદ્યાર્થીઓની ધોરણ 12 ( સામાન્ય પ્રવાહ) માં પોતાની મહેનત રંગ લાવી.

           ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ- ગાંધીનગર દ્વારા લેવાયેલ ધોરણ- 12 (HSC) માં શ્રી વિવેકાનંદ વિદ્યામંદિર- દિહોરના વિદ્યાર્થીઓએ સામાન્ય પ્રવાહમાં 100 % પરિણામ લાવી શાળાનું ગૌરવ વધાર્યુ છે. જે પૈકી ઉમરલા ગામના વતની બરાળ મિરલબેન શેલારભાઇએ 99.66 PR સાથે A1 ગ્રેડ તથા નેસવડ ગામના ગઢાદરા સુમિતભાઇ શૈલેષભાઇએ પણ 99.66 PR સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યુ છે. આ સાથે કુલ 28 વિદ્યાર્થીઓમાંથી A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર કુલ 2 વિદ્યાર્થીઓ અને A2 ગ્રેડ પ્રાપ્ત કરનાર કુલ 9 વિદ્યાર્થીઓએ સફળતા પ્રાપ્ત કરી છે. આ સાથે તત્વજ્ઞાન વિષયમાં કુલ 2 વિદ્યાર્થીઓએ 100 માંથી 100 ગુણ અને ભૂગોળ વિષયમાં કુલ 1 વિદ્યાર્થીએ 100 માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા છે. જ્યારે રાજ્યશાસ્ત્ર વિષયમાં 2 વિદ્યાર્થીઓએ 99 ગુણ તથા તત્વજ્ઞાન વિષયમાં 3 વિદ્યાર્થીઓએ 99 ગુણ અને ભૂગોળ વિષયમાં એક વિદ્યાર્થીએ 99 ગુણ મેળવી ભવ્ય સફળતા પ્રાપ્ત કરી છે. 

        ઉત્તમ પરિણામ લાવવા બદલ સમગ્ર શાળા પરિવારે તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છે.

Related Posts