ગુજરાત

શ્રમયોગીઓને મતદાન માટે રજા આપવા સૂચના અપાઈ

આગામી તા.૧૬/૦૨/૨૫ના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં મતદાન માટે શ્રમયોગીઓને રજા આપવા નાયબ શ્રમ આયુક્તની તાકીદઅમદાવાદ વિભાગના નાયબ શ્રમ આયુકતશ્રીની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણી માટે તા.૧૬/૦૨/૨૫ રવિવારના રોજ સવારના ૭ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી મતદાન યોજાનાર છે ત્યારે જે તે વિસ્તારના ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ્‌સ ( રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કંડિશન્સ ઓફ સર્વિસ) એક્ટ ૨૦૧૯ હેઠળ નોંધાયેલ સંસ્થાઓના કર્મયોગીઓ/કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે આ દિવસે ચૂંટણી હેઠળના સમગ્ર વિસ્તારમાં વૈકલ્પિક વ્યવસ્થા તરીકે આવા કર્મચારી/કામદારોને મતદાન માટે વારાફરતી ત્રણ કલાકની ખાસ રજા આપવામાં આવે અથવા જે દિવસે અઠવાડિક રજા હોય તે દિવસે સંસ્થાઓ ચાલુ રાખીને અવેજીમાં/બદલીમાં મતદાનના દિવસે રજા આપવામાં આવે તેવી વ્યવસ્થા કરવાની રહેશે.

Related Posts