શુક્રવાર ૨૭ જૂન, ૨૦૨૫ એટલે અષાઢી બીજના પવિત્ર દિવસ જ્યારે ગુજરાત સહિત વિશ્વભરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી છે. ત્યારે પરંપરાગત રીતે અમદાવાદમાં ૧૪૮મી રથયાત્રા યોજાઈ રહી છે. ‘જય રણછોડ, માખણચોર‘ના અતિભવી જયઘોષ સાથે પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજી, તેમના ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્યાએ નીકળ્યા હતા ત્યારે વહેલી સવારથી નાના બાળકોથી માંડીને વયો વૃદ્ધ તમામ ભક્તો લાઈનોમાં ગોઠવાઈ જાય છે. અમદાવાદમાં આ વખતે ૧૪૮મી રથયાત્રા દરમિયાન ૩ એવી ઘટનાઓ બની હતી જે આજ સુધી ક્યારે પણ બની નથી.
- આ વર્ષે ૧૪૮મી રથયાત્રાએ જમાલપુર ખાતે જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજીને વધુ એક ઉચ્ચ પદવી આપવામાં આવી હતી. જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજીને જગદગુરુની ઉચ્ચ પદવી આપવામાં આવી છે. મહંત દિલીપદાસજી મહામંડલેશ્વરમાંથી હવે જગદગુરુ બન્યા છે. તેઓ હવે જગદગુરુ રામાનંદાચાર્ય દિલીપદેવાચાર્યના નામથી ઓળખાશે. ૧૦૦૮ મહામંડલેશ્વર મહંત દિલીપદાસજી મહારાજા હતા. આ પાવન પ્રસંગે દેશભરના સાધુ-સંતોએ આ પદવીમાં હાજરી આપી હતી.
- આ વર્ષે ૧૪૮ મી રથયાત્રામાં એક ઐતિહાસિક ઘટના બની હતી જેમાં, ઈતિહાસમાં સૌપ્રથમ વખત ભગવાન જગન્નાથને ગાર્ડ ઓફ ઓનર્સ આપવામાં આવ્યું હતું. શુક્રવારે વહેલી સવારે પહિંદ વિધિ પહેલા ગુજરાત પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનરનું આયોજન કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, આ પહેલા ક્યારેય ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલાં ભગવાનને ‘ગાર્ડ ઓફ ઓનર‘ આપવામાં આવ્યું નથી.
- આ વર્ષની રથયાત્રામાં અમદાવાદ પોલીસ બની વધુ સશક્ત અને ટેકનોલોજી સભર, ભગવાન જગન્નાથજીની ૧૪૮મી રથયાત્રા દરમિયાન કોઈ વિધ્ન ન આવે તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. જેમાં પોલીસ, રેપીડ એક્શન ફોર્સ તેમજ અન્ય પેરામીલેટરી ફોર્સ સહિત કુલ ૨૪૦૦ સુરક્ષાકર્મીઓ તહેનાત કરવામાં આવ્યા હતા. પોલીસે સૌપ્રથમવાર છૈં ટેકનોલોજી બેઝ સોફ્ટવેરનો ઉપયોગ કરીને ભીડ પર નજર રાખવા તેમજ ફાયર એલર્ટનો ઉપયોગ કર્યો હતો. આ સાથે ૫ હજારથી વધુ બોડીવોર્ન, ડ્રોન, જીપીએસનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
Recent Comments