૧૪ એપ્રિલ, ૨૦૨૫ના રોજ સંસદ ભવન પરિસરમાં બાબાસાહેબ ડો.બી.આર.આંબેડકરની પ્રતિમા પાસે કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય વતી ડો.આંબેડકર ફાઉન્ડેશન (ડ્ઢછહ્લ) દ્વારા ૧૩૫મી આંબેડકર જયંતીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમની શરૂઆત ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખર, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, લોકસભાનાં અધ્યક્ષ શ્રી ઓમ બિરલા, કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી (જીત્નશ્ઈ) અને ચેરમેન તથા અધ્યક્ષ (ડ્ઢછહ્લ) ડો. વીરેન્દ્ર કુમાર તેમજ મંત્રીઓ, સાંસદો અને અન્ય આમંત્રિત મહેમાનો સહિત અન્ય મહાનુભાવોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
ત્યારબાદ, સ્થળ જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જ્યાં મોટી સંખ્યામાં લોકોએ સંસદ ભવનના લોન પર પ્રેરણા સ્થળ ખાતે બાબા સાહેબ આંબેડકરની આદમ કદની પ્રતિમાના ચરણોમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કાર્યક્રમ દરમિયાન, બૌદ્ધ ભિક્ષુઓએ બૌદ્ધ મંત્રોચ્ચાર કર્યા જ્યારે માહિતી અને પ્રસારણ મંત્રાલયના કલાકારોએ બાબા સાહેબ આંબેડકરને સમર્પિત ગીતો રજૂ કર્યા.
ડૉ. આંબેડકર જયંતી દર વર્ષે ડીએએફ દ્વારા દૂરંદેશી સમાજ સુધારક, ન્યાયશાસ્ત્રી, અર્થશાસ્ત્રી અને રાજકારણી કે જેઓ ભારતના બંધારણના મુખ્ય ઘડવૈયા હતા, તેમની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવે છે. ડૉ. આંબેડકરે હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોના ધ્યેયની હિમાયત કરી હતી. સામાજિક ન્યાય, સમાનતા અને લોકશાહી પરના તેમના વિચારો હજી પણ પેઢીઓને પ્રેરણા આપે છે.
આ સમારંભમાં રાજ્ય કક્ષાનાં મંત્રી (જીત્નશ્ઈ), શ્રી બી. એલ. વર્મા, સચિવ (ડી/ઓ એસજેએન્ડઇ), શ્રી અમિત યાદવ તથા મંત્રાલય તથા ડીએએફનાં અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
ડો.આંબેડકર ફાઉન્ડેશન (ડ્ઢછહ્લ)
ડો.આંબેડકર ફાઉન્ડેશનની રચના બાબાસાહેબ ડો.બી.આર. આંબેડકરના સંદેશ અને વિચારધારાઓ ફેલાવવા માટે કરવામાં આવ્યું હતું. ૧૯૯૧માં, બાબાસાહેબ ડૉ. બી.આર. આંબેડકર શતાબ્દી ઉજવણી સમિતિની રચના અને નેતૃત્વ ભારતના તત્કાલીન વડા પ્રધાન દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમિતિએ ડૉ. આંબેડકર ફાઉન્ડેશન (ડ્ઢછહ્લ) ની સ્થાપના કરવાનો ર્નિણય લીધો. ૨૪ માર્ચ, ૧૯૯૨ના રોજ, કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયના નેજા હેઠળ ડૉ. આંબેડકર ફાઉન્ડેશન (ડ્ઢછહ્લ)ની સ્થાપના એક સ્વાયત્ત સંસ્થા દ્વારા કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય અખિલ ભારતીય સ્તરે બાબાસાહેબ ડૉ. આંબેડકરના વિચારો અને દ્રષ્ટિકોણને આગળ વધારવા માટે કાર્યક્રમો અને પ્રવૃત્તિઓનો ફેલાવો કરવાનો હતો.
ડૉ. આંબેડકર રાષ્ટ્રીય સ્મારક (ડ્ઢછદ્ગસ્)
ડૉ. આંબેડકર રાષ્ટ્રીય સ્મારક (ડ્ઢછદ્ગસ્) બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકરના જીવન, કાર્ય અને યોગદાનને સંરક્ષિત કરવા અને પ્રદર્શિત કરવા માટે સમર્પિત છે, જેઓ પ્રસિદ્ધ સમાજ સુધારક, વક્તા, પ્રખર લેખક, ઇતિહાસકાર, ન્યાયશાસ્ત્રી, માનવશાસ્ત્રી અને રાજકારણી હતા. ડીએએનએમ મ્યુઝિયમમાં ડૉ. આંબેડકરના જીવન સાથે સંબંધિત વ્યક્તિગત ચીજવસ્તુઓ, ફોટોગ્રાફ્સ, પત્રો અને દસ્તાવેજાેનો સંગ્રહ છે, જેમાં તેમનું શિક્ષણ, સામાજિક સુધારણાની ચળવળો અને રાજકીય કારકિર્દીનો સમાવેશ થાય છે. તેમના ભાષણો અને ઇન્ટરવ્યુને પ્રદર્શિત કરવા માટે ઓડિયો-વિઝ્યુઅલ પ્રદર્શનો પણ છે.
રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને અન્ય મહાનુભવોએ નવી દિલ્હીમાં સંસદ ભવન લૉનમાં બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકરને તેમની ૧૩૫મી જન્મજયંતી પર પુષ્પાંજલિ અર્પણ કરી

Recent Comments